મહારાષ્ટ્રમાં નાના વાહન ચાલકો માટે સારા સમાચાર છે. વિધાનસભા ચૂંટણી પહેલા શિંદે કેબિનેટે મોટી જાહેરાત કરી છે. રાજ્ય સરકારે મુંબઈમાં પ્રવેશતા તમામ પાંચ ટોલ બૂથ પર હળવા મોટર વાહનો માટેના ટોલ ચાર્જમાં સંપૂર્ણ માફીની જાહેરાત કરી છે. આ નિયમ આજે રાત્રે ૧૨ વાગ્યાથી લાગુ થશે. વિધાનસભા ચૂંટણીની આચારસંહિતા લાગુ થયા પહેલા મહાયુતિ સરકારનો આ માસ્ટરસ્ટ્રોક માનવામાં આવી રહ્યો છે. હવે આજે રાત્રે ૧૨ વાગ્યા પછી નાના વાહન ચાલકોને પાંચ ટોલ બૂથ પર કોઈ ટોલ ચૂકવવો પડશે નહીં. મુંબઈમાં પ્રવેશવા માટે આ પાંચ ટોલ બૂથ છે વાશી દહિસર મુલુંડ (એલબીએસ રોડ),મુલુંડ (ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે),ઐરોલી
રાજ્ય કેબિનેટની બેઠકમાં આ અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. હાલમાં હળવા
આભાર – નિહારીકા રવિયા મોટર વાહનો પાસેથી ૪૫ રૂપિયાનો ટોલ લેવામાં આવે છે, આ રાહતની વાત છે. કેબિનેટનો આ નિર્ણય આવતા મહિને યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં મતદારોને મહાયુતિની તરફેણમાં આકર્ષવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા પછી આવ્યો છે.
મહારાષ્ટ્રના મંત્રી દાદાજી દગાડુ ભુસેએ કહ્યું, ‘મુંબઈમાં પ્રવેશવા માટે દહિસર, આનંદ નગર, વૈશાલી, ઐરોલી અને મુલુંડ સહિત પાંચ ટોલ પ્લાઝા હતા. આ ટોલ પર રૂ. ૪૫ અને રૂ. ૭૫ વસૂલવામાં આવતા હતા, આ ૨૦૨૬ સુધી લાગુ હતું. લગભગ ૩.૫ લાખ વાહનો આવતા-જતા હતા. જેમાંથી ૭૦ હજાર જેટલા ભારે વાહનો અને ૨.૮૦ લાખ હળવા વાહનો હતા. સરકારે આજે મધરાત ૧૨ પછી હળવા વાહનોને ટોલમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે. લોકોનો કતારોમાં ઉભા રહેવાનો સમય બચશે. સરકાર ઘણા મહિનાઓથી આ અંગે ચર્ચા કરી રહી હતી અને આજે આ ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે.
મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશને મુંબઈમાં ૫૫ ફ્લાયઓવર બનાવ્યા. આ પુલોની કિંમત વસૂલવા માટે, પ્રથમ મુંબઈના પ્રવેશદ્વારો પર ટોલ બૂથ બનાવવામાં આવ્યા હતા. બ્રિજનું બાંધકામ અંતિમ તબક્કામાં પહોંચતાની સાથે જ વર્ષ ૧૯૯૯માં ટોલ બૂથ બનાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. પાંચેય ટોલ બૂથ વર્ષ ૨૦૦૨માં કાર્યરત થયા. ત્યારબાદ, મુંબઈ ટોલ બૂથ પર એન્ટ્રી પોઈન્ટ પર ટોલ વસૂલવાનું શરૂ કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રમાં, મુખ્યત્વે મુંબઈમાં, એમએનએસ અને ઘણા કાર્યકરો ટોલ માફ કરવા માટે આંદોલન કરી રહ્યા છે. તાજેતરમાં, યુબીટી સેના અને ભૂતપૂર્વ રાજ્ય મંત્રી આદિત્ય ઠાકરેએ પણ મુંબઈમાં ટોલ માફ કરવાની માંગ કરી હતી.