૪ મેના રોજ જાહેર થયેલા ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશ માટે વિધાનસભા ચૂંટણીના પરિણામોએ દેશના રાજકીય પરિદૃશ્યમાં નોંધપાત્ર ફેરફાર કર્યો છે. જ્યારે ભાજપે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના ૧૫ વર્ષના શાસનને ઉથલાવી દીધું, ત્યારે ‘થલાપતિ’ વિજયની નવી પાર્ટી,ટીવીકે, તમિલનાડુમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી. કેરળની વાત કરીએ તો, દર પાંચ વર્ષે સરકાર બદલવાની પરંપરા પાછી આવી છે. કેરળમાં, કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટએ ૧૦૨ બેઠકો સાથે ભવ્ય વિજય મેળવ્યો. આસામમાં, એનડીએ (એઆઇએનઆરસી અને ભાજપ ગઠબંધન) એ મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માના નેતૃત્વમાં સતત ત્રીજા કાર્યકાળ માટે સત્તા જાળવી રાખી. કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં,એનડીએ (એઆઇએનઆરસી અને ભાજપ) પણ સત્તા જાળવી રાખવામાં સફળ રહ્યું.
આ ચૂંટણી પરિણામો વચ્ચે, ઘણી અગ્રણી વ્યક્તિઓને કારમી હારનો સામનો કરવો પડ્યો છે જેમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીની તેમની પરંપરાગત બેઠક ભવાનીપુરમાં હાર આ ચૂંટણીનું સૌથી આશ્ચર્યજનક પરિણામ હતું.
તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન તેમના કોલાથુર મતવિસ્તારમાં હાર્યા, જે એક સુરક્ષિત બેઠક માનવામાં આવે છે.
પશ્ચિમ બંગાળ કોંગ્રેસના અગ્રણી વ્યક્તિ અધીર રંજન ચૌધરી પણ આ વખતે બહેરામપુરમાં હાર્યા, તેમની બેઠક જાળવી રાખવામાં નિષ્ફળ ગયા.
આસામમાં કોંગ્રેસના ભવિષ્ય તરીકે જાવામાં આવતા ગૌરવ ગોગોઈ અને અનુભવી નેતા દેબબ્રત સૈકિયાને પણ હારનો સામનો કરવો પડ્યો.
મમતા બેનર્જીના કેબિનેટ મંત્રી શશિ પંજા શ્યામપુકુરથી હારી ગયા જ્યારે મૌસમ નૂર માલતીપુરથી હારી ગયા.
જયારે વિજેતાઓઃ ભાજપના નેતા સુભેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળના ભવાનીપુર મતવિસ્તારમાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીને ૧૫,૧૦૫ મતોથી હરાવીને જંગી જીત મેળવી હતી.
ભાજપના નેતા સ્વપન દાસગુપ્તા કોલકાતાના રાશબિહારી મતવિસ્તારમાંથી જીત્યા, દેબાસીસ કુમાર (દેબા) ને ૨૦,૮૬૫ મતોથી હરાવ્યા.
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં એક પીઢ રાજકીય વ્યક્તિ હુમાયુ કબીરે નોડા અને રેજીનગર એમ બંને બેઠકો જીતી હતી.
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા જાલુકબારી મતવિસ્તારમાંથી મોટા માર્જિનથી જીત્યા. તેઓ આસામમાં ભાજપનો સૌથી મજબૂત ચહેરો છે અને તેમની લોકપ્રિયતા સતત વધી રહી છે.
તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઈડાપ્પડી પલાનીસ્વામીએ ઈડાપ્પડીમાં તેમની પરંપરાગત બેઠક જાળવી રાખી છે. આ જીત એઆઇએડીએમકે માટે મોટી રાહત છે.
કેરળના મુખ્યપ્રધાન પિનરાઈ વિજયન ફરી ધર્મધામથી જીત્યા. ડાબેરી ગઠબંધનમાં તેઓ એક મજબૂત દાવેદાર રહ્યા છે.
પુડુચેરીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને એઆઇએનઆરસી સુપ્રીમો મંગલમથી જીત્યા. તેમને સ્થાનિક સ્તરે ખૂબ જ લોકપ્રિય નેતા માનવામાં આવે છે.