કોંગ્રેસે હંમેશા અનામતનો વિરોધ કર્યો છે અને તેને દેશના વિકાસની વિરુદ્ધ ગણાવ્યો
(એ.આર.એલ),મુંબઇ,તા.૧૪
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત્રપતિ સંભાજીનગરમાં ચૂંટણી રેલીને સંબોધતા કહ્યું કે આ વખતે મહારાષ્ટ વિધાનસભાની ચૂંટણી વિચારધારાની મહત્વપૂર્ણ લડાઈ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ચૂંટણીમાં એક તરફ સંભાજી મહારાજને માનનારા દેશભક્તો છે તો બીજી તરફ ઔરંગઝેબને સમર્થન કરનારા લોકો છે. મોદીએ કહ્યું કે, જે લોકો સંભાજી મહારાજના હત્યારામાં પોતાનો મસીહા જુએ છે, શું તેઓ મહારાષ્ટÙની ઓળખના વિરોધી નથી?
મોદીએ મહારાષ્ટÙના લોકોને યાદ અપાવ્યું કે છત્રપતિ સંભાજીનગરનું નામકરણ કરવાની માંગ સૌપ્રથમ શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેએ કરી હતી. મહા વિકાસ આઘાડી સરકાર પર નિશાન સાધતા મોદીએ કહ્યું કે તેમની સરકાર અઢી વર્ષ સત્તામાં હોવા છતાં આ માંગ પૂરી કરી શકી નથી. તેમણે કહ્યું કે મહાયુતિની સરકાર સત્તામાં આવતાની સાથે જ બાળાસાહેબની ઈચ્છા પૂરી કરીને શહેરનું નામ છત્રપતિ સંભાજીનગર રાખવામાં આવ્યું.
મોદીએ કહ્યું કે છત્રપતિ સંભાજીનગરના નામકરણને કારણે કોંગ્રેસ અને મહા વિકાસ આઘાડીને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. તેમણે આરોપ લગાવ્યો કે એમવીએ સાથી પક્ષો કોર્ટમાં આ નિર્ણયને પલટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસે સત્તા માટે હંમેશા સમાજમાં વિભાજનની રાજનીતિ કરી છે અને વિકાસને બદલે વિભાજનની રાજનીતિ પર આધાર રાખ્યો છે.
વડાપ્રધાને અનામત અંગે કોંગ્રેસની વિચારસરણી પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસે હંમેશા અનામતનો વિરોધ કર્યો છે અને તેને દેશના વિકાસની વિરુદ્ધ ગણાવ્યો છે. મોદીએ કહ્યું કે, કોંગ્રેસનો એજન્ડા સમાજમાં ભાગલા પાડીને સત્તા મેળવવાનો છે અને એસસી, એસટી અને ઓબીસી સમાજને વિભાજિત કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.
મોદીએ આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ છેલ્લા દસ વર્ષથી ઓબીસી વડાપ્રધાનને સહન કરી શકી નથી. તેમણે કહ્યું કે કોંગ્રેસના નેતાઓ વિદેશમાં જઈને ખુલ્લેઆમ અનામત ખતમ કરવાની વાત કરે છે. મોદીએ કહ્યું કે કોંગ્રેસ અને સ્ફછ સાથે ગઠબંધનમાં લોકો સમાજને નાની જાતિઓમાં વહેંચવાનું ષડયંત્ર કરી રહ્યા છે જેથી તેમની રાજકીય શÂક્ત નબળી પડી શકે.વડાપ્રધાને કલમ ૩૭૦નો મુદ્દો પણ ઉઠાવ્યો અને કહ્યું કે કોંગ્રેસ તેની પુનઃસ્થાપનાની માંગ કરીને ‘પાકિસ્તાનની ભાષા’ બોલી રહી છે. તેમણે કહ્યું કે તેમની સરકારે કલમ ૩૭૦ હંમેશ માટે નાબૂદ કરી દીધી છે અને દેશ તેને ફરીથી લાગુ કરવાની કોઈપણ માંગને ક્યારેય સ્વીકારશે નહીં.મરાઠવાડામાં જળ સંકટનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું કે મહા વિકાસ આઘાડી સરકારે આ સમસ્યા પર કોઈ નક્કર પ્રયાસો કર્યા નથી અને હંમેશા નિષ્ક્રય રહી છે. મોદીએ કહ્યું કે તેમની સરકારે પહેલીવાર દુષ્કાળ સામે નક્કર પ્રયાસો કર્યા છે અને લોકોને રાહત આપવાનું કામ કર્યું છે.
વડા પ્રધાને મહારાષ્ટના લોકોને એમવીએને સત્તામાં આવવાની તક ન આપવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, જા આ લોકો સત્તામાં આવશે તો તમારે પાણીના દરેક ટીપા માટે તડપવું પડશે. ‘ભાજપ – મહાયુતિ આહે, તાર ગતિ આહે, મહારાષ્ટની પ્રગતિ આહે’ સૂત્ર આપતા મોદીએ જનતાને ભાજપ અને મહાયુતિને સમર્થન આપવા અપીલ કરી હતી.
પીએમ મોદીએ રેલીમાં કોંગ્રેસને આડે હાથ લીધી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસ અનામત સાથે છેડછાડ કરીને એસસી-એસટી સમુદાયમાં ભાગલા પાડવા માંગે છે. રાહુલ ગાંધીનું નામ લીધા વિના પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસના રાજકુમારો અનામત ખતમ કરવા માંગે છે. તેમણે કહ્યું કે કોંગ્રેસે કલમ ૩૭૦ પાછી લાવવાની વાત કરી છે, જે તેની માનસિકતા દર્શાવે છે.કોંગ્રેસ પર પાકિસ્તાનની ભાષા બોલવાનો આરોપ લગાવતા પીએમ મોદીએ કહ્યું કે ભાજપે જમ્મુ-કાશ્મીરને કલમ ૩૭૦થી આઝાદી અપાવી, પરંતુ કોંગ્રેસ હવે બીજી ભાષા બોલી રહી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ જાતિ અને અનામતના નામે લડાઈ લડવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ તેની યોજનાઓ સફળ નહીં થાય. પીએમ મોદીએ કહ્યું કે, મહાવિકાસ અઘાડી પર પણ હુમલો કરવામાં આવ્યો. તેમણે કહ્યું કે એમવીએ સરકારની વાપસી મહારાષ્ટÙના હિતમાં નથી.પીએમએ કહ્યું કે, મહારાષ્ટÙમાં વિકાસના આ મહાન યજ્ઞની સાથે સાથે અમારી સરકાર વિરાસતની વિધિ પણ કરી રહી છે. ભગવાન વિઠ્ઠલના ભક્તોની સુવિધા માટે અમે પાલકી હાઇવે બનાવ્યો છે. આઘાડી લોકોએ મહારાષ્ટÙની સમસ્યાઓ વધારવા સિવાય કંઈ કર્યું નથી. મરાઠવાડામાં લાંબા સમયથી જળ સંકટ છે, પરંતુ કોંગ્રેસ અને આઘાડી હંમેશા નિષ્ક્રય રહ્યા છે. અમારી સરકારમાં પહેલીવાર દુષ્કાળ સામે નક્કર પ્રયાસો શરૂ થયા.
પીએમ મોદીએ દાવો કર્યો છે કે કોંગ્રેસ અને અઘાડી એસસી, એસટી અને ઓબીસીમાં ભાગલા પાડવાનું કાવતરું કરી રહ્યા છે. કોંગ્રેસનો એજન્ડા હજુ પણ એ જ છે તેથી જ તેઓ છેલ્લા ૧૦ વર્ષથી ઓબીસી સમુદાયના વડાપ્રધાન તરીકે સહન કરી શકતા નથી. આ દિવસોમાં ઇન્ટરનેટ પર જૂના અખબારોની તસવીરો વાયરલ થઈ રહી છે. અનામતને લઈને કોંગ્રેસની વાસ્તવિક વિચારસરણી આમાં દેખાય છે. કોંગ્રેસ અનામતને દેશ અને યોગ્યતા વિરુદ્ધ ગણાવતી હતી. આ પાર્ટી વિકાસમાં નહીં પરંતુ વિભાજનમાં માને છે.