(એ.આર.એલ),બીજીંગ,તા.૧
ફેસબુક અને ઈન્સ્ટાગ્રામની પેરન્ટ કંપની મેટાએ ચીનને લઈને મોટો ખુલાસો કર્યો છે. અગ્રણી સોશિયલ મીડિયા પ્લેટફોર્મે જણાવ્યું કે ચીન કેવી રીતે ભારતીય અને શીખોના મામલામાં દખલ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે ચીનમાંથી ઉદ્દભવેલા નેટવર્કે ઓસ્ટ્રેલિયા, કેનેડા, ભારત, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, યુકે અને નાઈજીરીયા સહિત વૈÂશ્વક શીખ સમુદાયને નિશાન બનાવ્યા છે.
મેટાએ મે ૨૦૨૪ માટેના તેના ત્રમાસિક અહેવાલમાં જણાવ્યું હતું કે તેણે સંકલિત અપ્રમાણિક વર્તન સામે અમારી નીતિનું ઉલ્લંઘન કરવા બદલ ૩૭ ફેસબુક એકાઉન્ટ્‌સ, ૧૩ પેજીસ (એફબી પર), પાંચ જૂથો અને ઇન્સ્ટાગ્રામ પરના નવ એકાઉન્ટ્‌સ દૂર કર્યા છે. ચીન આ પ્રવૃત્તિમાં ટેલિગ્રામ અને એક્સ (અગાઉ ટ્‌વટર) જેવા અન્ય પ્લેટફોર્મનો પણ ઉપયોગ કરી રહ્યું છે, જેમાં નકલી એકાઉન્ટના ઘણા જૂથો સામેલ હતા. સોશિયલ પ્લેટફોર્મ પર એક જૂથ, જે સીધા ચીનથી ચાલી રહ્યું હતું, તે ભારત અને તિબેટ ક્ષેત્રને નિશાન બનાવી રહ્યું હતું. તેણે ૨૦૨૩ની શરૂઆતમાં તેને બંધ કરી દીધું હતું.
મેટાના અહેવાલ મુજબ, તેની સિસ્ટમે શોધી કાઢ્યું કે ઘણા નકલી એકાઉન્ટ્‌સ બનાવવામાં આવ્યા હતા અને પોતાને શીખ તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. આ એકાઉન્ટ્‌સ દ્વારા, અંગ્રેજી અને હિન્દીમાં સમાચાર અને વર્તમાન ઘટનાઓને લગતી પોસ્ટ્‌સ સંપાદિત અને શેર કરવામાં આવી હતી. જેમાં પંજાબ ક્ષેત્રમાં પૂર, વિશ્વભરના શીખ સમુદાય, ખાલિસ્તાન આઝાદીની ચળવળ, કેનેડામાં ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યા અને ભારત સરકારની ટીકાને લગતી પોસ્ટનો સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સહિત અન્ય દેશોમાં ઘણા જૂથો દ્વારા વિરોધ પ્રદર્શનનું આહ્વાન કરવામાં આવ્યું હતું. જા કે, મેટાએ કહ્યું કે જેમ જેમ આવા એકાઉન્ટ્‌સ શોધી કાઢવામાં આવ્યા, તેણે તેને બંધ કરી દીધું.
જા ભારતીય સુરક્ષા એજન્સીઓના સૂત્રોનું માનીએ તો અત્યાર સુધી પાકિસ્તાની સોશિયલ મીડિયા એકાઉન્ટ આ રીતે શીખોને નિશાન બનાવીને ભારત વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યા હતા. ચીન તરફથી આ પ્રકારની કાર્યવાહી પહેલીવાર સામે આવી છે. આ ચીન અને પાકિસ્તાનનું સંયુક્ત ઓપરેશન પણ હોઈ શકે છે.