ચીન બાદ હવે ભારતમાં પણ હ્યુમન મેટાપ્યુમોવાયરસ એટલે કે એચએમપીવીના કેસ નોંધાયા છે.આઇસીએમઆરએ તેના નિયમિત સર્વેલન્સ દ્વારા કર્ણાટકમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસના બે કેસ શોધી કાઢ્યા છે. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર અને ભારતની વિવિધ રાજ્ય સરકારો પણ આ વાયરસને લઈને સતર્ક થઈ ગઈ છે અને અધિકારીઓને માર્ગદર્શિકા જારી કરવામાં આવી રહી છે.
કર્ણાટકમાં બે શિશુઓમાં એચએમપીવી વાયરસના લક્ષણો નોંધાયા છે. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ,એચએમપીવી વાયરસથી સંક્રમિત બ્રોન્કોપ્યુન્યુમોનિયાનો ઇતિહાસ ધરાવતા ૩ મહિનાના નવજાત બાળકને બેપ્ટીસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. તેની સારવાર કરીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. દરમિયાન, કર્ણાટકમાં એક ૮ મહિનાનું શિશુ, બ્રોન્કોપ્યુનિમોનિયાનો ઇતિહાસ ધરાવતો બાળક પણ ૩ જાન્યુઆરીએ એ જ હોસ્પિટલમાં એચએમપીવી વાયરસથી સંક્રમિત જાવા મળ્યો હતો. બાળક હવે સ્વસ્થ થઈ રહ્યું છે.
આંધ્ર પ્રદેશ સરકારે એચએમપીવી વાયરસ સંબંધિત અપડેટ શેર કર્યું. આંધ્ર પ્રદેશ સરકારે રિલીઝમાં કહ્યું છે કે વાયરસ કોવિડ-૧૯ની જેમ જ વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાય છે. તે મુખ્યત્વે બાળકો, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતી વ્યક્તિઓને અસર કરે છે. જા કે, આંધ્રપ્રદેશમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસનો કોઈ કેસ નોંધાયો નથી. આંધ્રપ્રદેશના જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણના નિયામક કે. પદ્માવતીના જણાવ્યા અનુસાર, એચએમપીવીથી સંક્રમિત વ્યક્તિઓના નજીકના સંપર્કમાં રહેલા વ્યક્તિઓને વાયરસના સંક્રમણનું જાખમ રહેલું છે. તેમણે કહ્યું કે આ રોગ ચેપગ્રસ્ત વ્યક્તિઓના ઉધરસ, છીંક, સ્પર્શ અને હાથ મિલાવવાથી પણ ફેલાય છે. બીજી તરફ, દિલ્હીના આરોગ્ય અધિકારીઓએ ‘હ્યુમન મેટાપ્યુમોવાયરસ અને અન્ય શ્વસન ચેપને લગતા સંભવિત સ્વાસ્થ્ય પડકારો અંગે સજ્જતા સુનિશ્ચિત કરવા માર્ગદર્શિકા જારી કરી હતી.