ભારતે ચીન સાથેની પોતાની વિવાદિત સરહદને મજબૂત કરવા માટે નવી રણનીતિ બનાવી છે. સેનાએ ભારત-ચીન સરહદ પર પશ્ચિમી સરહદ પર તૈનાત ૧૦,૦૦૦ સૈનિકોને ચીન સાથેની બોર્ડર પર તૈનાત કર્યા છે. જા કે સેનાના અધિકારીઓએ આ અંગે કોઈ ઔપચારિક માહિતી આપી નથી. આ સૈનિકોને ઉત્તરાખંડથી લઈને હિમાચલ પ્રદેશ સુધીની ચીન સરહદ પર તૈનાત કરવામાં આવ્યા છે. ભારત-ચીન સરહદના આ વિસ્તારમાં પહેલેથી જ ૯૦૦૦ સૈનિકો તૈનાત છે.
ભારતીય સૈનિકો ૫૩૨ કિલોમીટર લાંબી સરહદને વધુ સુરક્ષિત કરશે. છેલ્લા દાયકામાં આ પ્રદેશે વિશાળ માળખાકીય રોકાણ અને વિકાસ જાયો છે. કેન્દ્રમાં ભાજપની સરકાર બન્યા બાદ આ વિસ્તારમાં પ્રવાસનને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. વર્ષ ૨૦૨૦માં ચીન સાથેની અથડામણમાં ઓછામાં ઓછા ૨૦ ભારતીય સૈનિકો શહીદ થયા હતા.
ભારતીય સૈનિકોએ પણ ચીનને જડબાતોડ જવાબ આપ્યો હતો, પરંતુ ચીને દુનિયામાં બદનામીના ડરથી તેના સૈનિકોના મૃત્યુની સંખ્યા જાહેર કરી ન હતી. આ ઘટના પછી, વર્ષ ૨૦૨૧માં, ભારતે ચીન સાથેની તેની સરહદ પર પેટ્રોલિંગ કરવા માટે વધારાના ૫૦,૦૦૦ સૈનિકો તૈનાત કર્યા.
આ ઘટના બાદથી, ભારત અને ચીને સરહદી વિસ્તારોમાં સૈન્ય સંબંધિત માળખાકીય સુવિધાઓ વધારી છે અને વધુ સૈનિકો તૈનાત કરવા ઉપરાંત તેમની સરહદો પર મિસાઇલો અને એરક્રાફ્ટ તૈનાત કર્યા છે. તાજેતરમાં, ભારતના સંરક્ષણ સચિવ ગિરધર અરમાણેએ કહ્યું હતું કે એવી સંભાવના છે કે આપણે ૨૦૨૦ જેવી જ પરિÂસ્થતિનો સામનો કરવો પડી શકે છે, તેથી અમે હંમેશા સક્રિય રહીએ છીએ.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહનું કહેવું છે કે તેઓ સૈનિકોનું મનોબળ ઉંચુ રાખવા માટે સતત કામ કરી રહ્યા છે. તેઓ ભારત પર ખરાબ નજર નાખનાર કોઈપણને યોગ્ય જવાબ આપવા સક્ષમ અને તૈયાર છે. જાપાનમાં વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ચીને ભારત સાથે લાંબા સમયથી ચાલતા લેખિત કરારોનું પાલન કર્યું નથી. તેમણે ગલવાન ઘટનાનો ઉલ્લેખ કર્યો. સાથે જ તેમણે આ માટે જવાબદાર પણ ગણાવ્યા હતા.