ભારત સરહદ પર એક સાથે ચીન અને પાકિસ્તાન દ્વારા ઘૂસણખોરીના પ્રયાસોનો સામનો કરી રહ્યું છે. આ સમસ્યા સામે લડવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપેર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. બોર્ડર રોડ્‌સ ઓર્ગેનાઈઝેશન આગામી થોડા અઠવાડિયામાં ચીન સાથેની સરહદ પર ચોક્કસ માળખાકીય સુવિધાઓનું કામ પૂર્ણ કરશે. આમાં લેહના વૈકલ્પીક માર્ગ પરના રોડ પેચનો સમાવેશ થાય છે જે તમામ હવામાનમાં કનેકટીવિટી સુનિશ્ચિત કરવામાં મદદ કરશે. આ સિવાય કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયે ભારત-ચીન બોર્ડર રોડ પ્રોગ્રામ હેઠળ અન્ય પ્રોજેક્ટ્‌સને પણ પ્રાથમિકતા આપી છે. આ અંતર્ગત ઉત્તરાખંડમાં માનસરોવર યાત્રા રૂટ પર લિપુલેખ પાસ સુધી કનેકટીવિટી સ્થાપિત કરવામાં આવી છે. એક અખબારે તેના એક રિપોર્ટમાં આ જાણકારી આપી છે.
હાલમાં લેહ સુધી પહોંચવા માટે ત્રણ માર્ગો છે. પહેલો રસ્તો જમ્મુ અને કાશ્મીરમાં શ્રીનગર-ઝોજિલા-કારગિલ થઈને છે. બીજા હિમાચલ પ્રદેશમાં મનાલી-રોહતાંગ થઈને છે. આ રસ્તો દારચા નામની જગ્યાએથી અલગ પડે છે. અહીંથી એક માર્ગ પદમ અને નિમુ થઈને લેહ સાથે જોડાય છે. અન્ય હિમાચલ પ્રદેશના બારાલાચા લા અને લદ્દાખમાં તંગલાંગ લાના પર્વત માર્ગો દ્વારા કારુ થઈને લેહ સાથે જોડાય છે. હાલમાં લેહ સુધીના આ બે માર્ગો વચ્ચે કોઈ ઓલ-સીઝન કનેકટીવિટી નથી. લેહ પહોંચવા માટે શ્રીનગર-લેહ અને બારાલાચા લા-કારુ-લેહ જૂના પરંપરાગત માર્ગો છે.
પ્રોજેક્ટ્‌સથી વાકેફ વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે નીમુ-પદમ-દારચા રોડના ૪ કિમી લાંબા ડિસ્કનેક્ટ થયેલા સેક્શનને જોડવું અને મનાલી-દારચા-પદમ-નીમુ ધરી પર ૪.૧ કિમી લાંબી ટ્‌વીન ટ્યુબ શિંકુ લા ટનલનું બાંધકામ શરૂ કરવું એ બીઆરઓના તાત્કાલિક કાર્યોની લિસ્ટમાં સામેલ છે. નીમુ-પદમ-દારચા રોડના ૪ કિમી લાંબા કપાયેલા સેક્શનને જોડવાનું કામ પૂરું થવાને આરે છે અને મોટા ભાગના રોડ પર પહેલા જ ડામર પાથરી દેવામાં આવ્યો છે. બાકીનું કામ આગામી થોડા અઠવાડિયામાં પૂર્ણ થવાની ધારણા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઈમાં દ્રાસની તેમની મુલાકાત દરમિયાન શિંકુન લા ટનલ પ્રોજેક્ટનું નિર્માણ શરૂ કર્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે ટનલનું સંપૂર્ણ કામ આગામી થોડા અઠવાડિયામાં શરૂ થવાનું છે. આ દરમિયાન ૧૫૮૦૦ ફૂટની ઉંચાઈ પર વિશ્વની સૌથી ઊંચી ટનલ પણ બનાવવામાં આવશે.
૧,૬૮૧ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવનાર આ ટનલથી મનાલી અને લેહ વચ્ચેનું અંતર ૬૦ કિલોમીટર ઓછું થઈ જશે. આનાથી નિમુ-પદમ-દારચા રોડના ૪ કિમી લાંબા ડિસ્કનેક્ટ થયેલા સેક્શન સાથે કનેકટીવિટી સુનિશ્ચિત થશે. આ લેહ માટે અન્ય બે જૂના રૂટનો વિકલ્પ અને ત્રીજા ઓલ-વેધર રૂટ હશે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખાને સમાંતર ચાલતા રસ્તાઓમાંથી એક સાથે કનેકટીવિટી સ્થાપિત કરવી એ પણ મ્ઇર્ંનો મુખ્ય પ્રાથમિક પ્રોજેક્ટ છે. હાલના ૨૫૫ કિમી લાંબા દુરબુક-શ્યોક-દૌલત બેગ ઓલ્ડી રોડ સિવાય, અન્ય બે રસ્તાઓ અલગ-અલગ સ્થળોએ ન્છઝ્રની સમાંતર ચાલે છે. એક રસ્તો લેહ અને ડેમચોકને કારુ અને ન્યોમા થઈને જાડે છે. બીજા રસ્તો ચુશુલ થઈને દુરબુકથી ન્યોમાને જોડે છે જે પેંગોંગ ત્સો તળાવની દક્ષિણે સ્થિત છે.
એક અધિકારીએ કહ્યું કે પૂર્વી લદ્દાખમાં લેહ-ડેમચોક રોડ સાથે કનેકટીવિટી સ્થાપિત કરવાને પ્રાથમિકતા આપવામાં આવી છે અને આ રોડ પર મોટા ભાગનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. આખરે આ રસ્તાઓને ડબલ લેન કરવાની યોજના છે. જણાવી દઈએ કે આ તમામ પ્રોજેક્ટ્‌સનો ઉદ્દેશ્ય લદ્દાખ ક્ષેત્રમાં એક મજબૂત સરહદી માળખું વિકસાવવાનો અને AC સાથે વધુ સારી કનેકટીવિટી સ્થાપિત કરવાનો છે.