દાનેવધામ ચલાલામાં શ્રી મોગલ મા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત “શિવસાંઇ રાહત દરે ભોજનાલય”નો લઘુ મહંત પૂજ્ય મહાવીરબાપુના હસ્તે સંતો મંહતો અને મહાનુભવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને પ્રારંભ કરાયો હતો. ચલાલા પંથકના વૃદ્ધો, નાના ધંધાર્થીઓ, મજૂરીકામ કરતા ભાઇઓ, શારીરિક અશક્ત લોકો, એકલ-દોકલ રહેતા પરિવારો, વેપાર માટે બહારથી આવતા સેલ્સમેનો સહિતનાઓને એકદમ રાહત ભાવે માત્ર રૂ. ૫૦માં શુધ્ધ, સાત્વિક ભરપેટ અનલિમિટેડ ભોજન પ્રસાદ સરળતાથી મળે તેવું ટ્રસ્ટ દ્વારા આયોજન કરાયું છે.