ચલાલામાં રહેતા મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના તડોદારા ગામના ગણેશભાઈ રાજુભાઈ ભીલ (ઉ.વ.૨૦) નામના યુવકે જાહેર કર્યા મુજબ, તેઓ નરેશભાઈ મોહનભાઈ કાથરોટીયાની વાડીએ ખેતમજૂરી કરતા હતા. વાડીમાં કપાસનું વાવેતર કર્યુ હતું. જેમાં તેઓ તથા તેનો કુટુંબી ભાઈ દવાનો છંટકાવ કરતા હતા. આ સમયે ઝેરી દવાની અસર થતાં તેમને સારવારમાં દાખલ કર્યા હતા. ચલાલા પોલીસ સ્ટેશનના એએસઆઈ નિરજકુમાર ભીખાલાલ દાફડા વધુ તપાસ કરી રહ્યા છે.