ચલાલા દ્વારકાધીશ હવેલી ટ્રસ્ટ અને સમસ્ત વૈષ્ણવ સમાજ દ્વારા દ્વારકાધીશ હવેલી ખાતે મહાપ્રભુજીનો ૫૪૮મો પ્રાગટ્ય મહોત્સવ વૈષ્ણવોની ઉપસ્થિતિમાં ધામધૂમથી ઉજવાયો હતો. મંગળા દર્શન, પલના, શૃંગારભિતર અને નંદમહોત્સવ સહિતના દર્શન યોજાયા હતા. દિનેશભાઇ મેશીયાના નિવાસસ્થાનેથી વર્ણાગી કીર્તન સાથે હવેલીએ પહોંચી હતી. ત્યારબાદ પટેલ વાડીમાં વૈષ્ણવોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. પ્રાગટ્ય મહોત્સવ દરમિયાન સમગ્ર વૈષ્ણવ સમાજમાં ઉત્સાહ અને આનંદ છવાયો હતો.