ચલાલામાં યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ખાતે પૂ. ડો. રતિદાદા દ્વારા જરૂરિયાતમંદ બાળકો અને દીકરીઓને મીઠાઈ તથા ફટાકડાનું વિતરણ કરાયું હતું. પૂ. ડો. રતિદાદાએ જણાવ્યું હતું કે, આવા સેવાકાર્યમાં દાતાઓનો સહયોગ ખુબ અગત્યનો છે. ઉર્મિલાબેન અરુણભાઈ રૂપારેલીયા – યુ. કે. તરફથી સહયોગ પ્રાપ્ત થયો હતો. આ સેવા કાર્યને સફળ બનાવવામાં ભારત ભૂષણ મહેશભાઈ મહેતા, મંજુબા, શીતલબેન મહેતાએ જહેમત ઉઠાવી હતી.