તા.૧૪ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું
અમરેલી તાલુકાનાં ચક્કરગઢ ગામે રામદેવજી મહારાજનાં નવરાત્રી પાટોત્સવ તથા પ્રાગટય મહોત્સવ તેમજ સાદરવિધીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગણેશ સ્થાપના થયા બાદ આજે સવારે ૮ થી ૧૧ યજ્ઞનો પ્રારંભ કરવામાં આવશે. તા.૦પ થી દરરોજ સાંજના પ કલાકે બટુકભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૧રનાં રોજ નેજાજીનાં સામૈયા, નેજાજીનાં રોકાણ મૂહૂર્ત, નોમનો પ્રસાદ ધરાશે. તા.૧૩ નાં રોજ પાટનાં દર્શન, સંતોનાં આશીર્વચન અને ધર્મસભા અને સાદરવિધી કાર્યક્રમ યોજાશે. તા.૧૪ નાં રોજ વહેલી સવારે ૪ વાગ્યે રામદેવજી મહારાજનાં જન્મોત્સવની ઉજવણી કરાશે. ધાર્મિક કાર્યક્રમ દરમ્યાન દરરોજ રાત્રે ૮ કલાકથી ભજન-કિર્તન અને રાસગરબા રાખેલ છે. આ ધાર્મિક કાર્યક્રમમાં પધારવા શ્રી નકળંગ આખ્યાન મંડળ અને ચક્કરગઢ ગ્રામજનોએ આમંત્રણ પાઠવ્યું છે.તેમ ગોરધનભાઈ માંદલીયાની યાદીમાં જણાવાયું છે.