સાવરકુંડલાના વિજપડી ગામે રહેતો એક પ્રૌઢ ઘાંડલા ગામે માછીમારી કરતા હતા ત્યારે તેને ગાળો બોલી, તેની પાછળ દોડીને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. બનાવ અંગે વિજપડી ગામના કુરજીભાઈ ભીખાભાઈ મકવાણા (ઉ.વ.૬૫)એ ઘાંડલા ગામના રફીકશા ભીખુશા કનોજીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ ઘાંડલા ગામે ધારેશ્વર ડેમ પાસે વાડીમાં ભાગીયું રાખેલું હોવાથી ત્યાં કામ કરતા ત્યારે આરોપી હાથમાં ધોકો લઇને આવ્યો હતો. તેણે તું કેમ ડેમમાં માછલાની માછીમારી કેરે છે તેમ કહી ગાળો આપી જમણા હાથે ધોકાનો એક ઘા મારી તેમની પાછળ દોડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતા. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ કે.એ.સાંખટ વધુ તપાસ કરી રહ્યા છે.