ધારીના ગોપાલગ્રામ ગામે થોડા દિવસો પહેલા મકાન ધરાશાયી થતા વૃધ્ધ ધીરૂભાઈ જેઠવાનું નિધન થયુ હતુ. આ બાબતે ધારાસભ્ય જે.વી.કાકડીયાએ જેઠવા પરિવારને મદદરૂપ થવા માટે અધિકારીઓને સૂચના આપતા સામાન્ય પરિવારને મદદરૂપ થવાના આશય સાથે તંત્ર દ્વારા રૂ.૧.ર૦ લાખ મંજૂર કરી સ્વ. ધીરૂભાઈ જેઠવાના પરિવારને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
આ તકે સરપંચ હરેશભાઈ વાળા, ગૌતમભાઈ વાળા, બાબભાઈ ગજેરા, પ્રતાપભાઈ વાળા સહિતના હાજર રહ્યાં હતા.