સૌરાષ્ટ્રનું અગ્રેસર ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ વિવિધ જણસીની આવકથી ઊભરાતું હોય છે. આગામી દિવસોમાં દિવાળીના તહેવારોને લઈને માર્કેટયાર્ડ અલગ અલગ રજાના દિવસે બંધ રહેશે. યાર્ડમાં આવતા ખેડૂતો, વેપારીઓ, જનરલ કમિશન એજન્ટો, તોલાટ, મજૂરો, વાહનમાલિકો સહિતના રજાના દિવસે કામકાજ બંધ રાખશે. કાળીચૌદસથી ચોથ સુધી યાર્ડ બંધ રહેશે.માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરીયાએ જણાવ્યું હતું કે, દિવાળી નિમિત્તે સાત દિવસ એટલે કે ૩૦ ઓક્ટોબરથી ૫ નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે. ૬ નવેમ્બરને લાભ પાંચમના દિવસે સારા મુહૂર્તમાં રાબેતા મુજબ જણસીઓની હરરાજી શરૂ કરાશે.