(એ.આર.એલ),રોહતક,તા.૨૪
ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ ૨૧ દિવસના પેરોલ બાદ સુનારિયા જેલમાં પરત ફર્યા છે. તેમને સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અહીં લાવવામાં આવ્યા હતા. પેરોલના સમયગાળા દરમિયાન તે ઉત્તર પ્રદેશના બાગપતમાં બર્નવા આશ્રમમાં રહ્યો હતો. કોંગ્રેસ પાર્ટીએ હરિયાણા વિધાનસભા ચૂંટણીના મતદાનના ૩ દિવસ પહેલા ૨ ઓક્ટોબરે ગુરમીત રામ રહીમની જેલમાંથી મુÂક્ત પર પણ સવાલો ઉઠાવ્યા હતા.ઉલ્લેખનીય છે કે ગુરમીત રામ રહીમે ઈમરજન્સી પેરોલની માંગણી કરી હતી. જે બાદ ૩૦ સપ્ટેમ્બરે ચૂંટણી પંચે ૩ શરતો સાથે પેરોલને મંજૂરી આપી હતી. પેરોલ આપતી વખતે એવી શરત મૂકવામાં આવી હતી કે જેલમાંથી બહાર આવ્યા બાદ ડેરા પ્રમુખ હરિયાણા નહીં જાય. તે ચૂંટણી દરમિયાન કોઈપણ રાજકીય પ્રવૃત્તિમાં ભાગ લેશે નહીં અને સોશિયલ મીડિયામાં પણ ચૂંટણી સંબંધિત કોઈપણ પ્રવૃત્તિમાં સામેલ થશે નહીં.ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમને ૨૦૧૭થી અત્યાર સુધીમાં ૧૧ વખત પેરોલ અથવા ફર્લો આપવામાં આવ્યો છે. વારંવાર પેરોલ મળતા રાજ્ય સરકાર પર અનેક સવાલો ઉઠ્‌યા હતા. શિરોમણી ગુરુદ્વારા પ્રબંધન સમિતિએ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં પણ અરજી દાખલ કરી હતી. જેના પર હાઈકોર્ટે કહ્યું હતું કે, રામ રહીમને પરવાનગી વગર પેરોલ કે ફર્લો ન આપવામાં આવે. બાદમાં હાઈકોર્ટે પણ પેરોલ કે ફર્લોની જવાબદારી રાજ્ય સરકાર પર છોડી દીધી હતી.ગુરમીત રામ રહીમને ૨૫ ઓગસ્ટ ૨૦૧૭ના રોજ પંચકુલામાં ધરપકડ બાદ સુનારિયાની રોહતક જેલમાં લાવવામાં આવ્યો હતો. બાદમાં સીબીઆઈ કોર્ટના સ્પેશિયલ જજ જગદીપ સિંહે જેલમાં કોર્ટની સ્થાપના કરી અને બે સાધ્વીઓને યૌન શોષણના કેસમાં દરેકને ૧૦-૧૦ વર્ષની સજા સંભળાવી. ગુરમીત રામ રહીમને પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યા અને ડેરાના પૂર્વ મેનેજર રણજીત સિંહની હત્યાના કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે તેમને રણજીત સિંહ હત્યા કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા.