(એ.આર.એલ),અમદાવાદ,તા.૧
રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ તંત્ર દ્વારા ફરી આવી કોઈ દુર્ઘટનાં ન સર્જાય અને નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો ન પડે તે માટે સાવચેતીનાં ભાગરૂપે રાજ્યમાં સ્કૂલવર્ધીનાં વાહનોનું ચેકિંગ કરવા આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે વાહન વ્યવહાર વિભાગ દ્વારા આ બાબતે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.
વાહન વ્યવહાર કમિશ્નર દ્વારા આ બાબતે તમામ આરટીઓ ઓફીસરને પરિપત્ર કરી આદેશ કરવામાં આવ્યો છે. તેમજ એક અઠવાડિયામાં રિપોર્ટ આપવા સૂચના કરવામાં આવી છે. આરટીઓ વિભાગ દ્વારા સ્કૂલ બસ, વાન, રીક્ષામાં સલામતીનું ચેકીંગ કરશે. તેમજ જે સ્કૂલ બસ કે વાનમાં જાગવાઈઓનું ઉલ્લંઘન કરવામાં આવશે. તે વાહનને ડિટેઈન કરવામાં આવશે.
સ્કૂલવર્ધીનાં વાહન માટે સાવધાનીની જાગવાઈઓઃ
બસ પર સ્કૂલનો કે માલિકનો ફોન નંબર લખેલો હોવા જાઈએ
સ્કૂલબસમાં સ્પીડગવર્નર ફરજીયાત જેની ગતિ માર્યાદા ૪૦ કિમી પ્રતી કલાકની
જીએસપી સીસ્ટમ-સીસીટીવી દરેક બસમાં ફરજિયાત
બસમાં પ્રાથમિક સારવાર પેટી અને પીવાનુ પાણી હોવુ જાઈએ
ડ્રાઈવરની શારીરિક તપાસ, આંખોની તપાસ થવી જાઈએ
બેઝ હોય તેવા ડ્રાઈવવરે જ વાહન ચલાવવુ જાઈએ
રિક્ષામાં ૬ બાળકો બેસાડી શકાશે
વેનમાં ૬ થી વધુ બાળકો બેસાડી શકાશે
વાહનની સ્પીડ ૨૦ કીમીથી વધુ ન હોવી જાઈએ
સ્કૂલ બસમાં ઈમરજન્સી એક્ઝટ ગેટ હોવો જાઈએ
સ્કૂલ બસમાં ૨ અગ્નશામક હોવા જરૂરી છે