ગુજરાતમાં કેબિનેટ વિસ્તરણની સાથે ગુજરાતને હવે નવા નાયબ મુખ્યમંત્રી મળશે તે પણ સુનિશ્ચિત થઈ ગયું છે. ગુજરાતમાં હાલમાં કોઈ નાયબ મુખ્યમંત્રી નથી. હવે નવી ફોર્મ્યુલામાં નવા નાયબ સીએમ ગુજરાતને મળી શકે છે. આ હોદ્દા માટે કોઈ આદિવાસી વ્યક્તિની નિમણૂક થાય તો પણ આશ્ચર્ય નહીં થાય. આ ઉપરાંત હર્ષ સંધવીનું નામ પણ ચર્ચામાં છે ઉલ્લેખનીય છે કે અગાઉ વિજય રૂપાણી સીએમ હતા ત્યારે નીતિન પટેલને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. આ વખતે નાયબ સીએમના હોદ્દા પર કોણ છે તે જાવાનું રહેશે.મંત્રીમંડળના ફેરબદલમાં કેન્દ્રીય નેતાઓ હાજર રહે તેવી શક્્યતા છે, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ બીજા દિવસે બિહારની મુલાકાતે આવનાર છે. આ મોટા ફેરફારોનું મુખ્ય કારણ ગુજરાત અને સૌરાષ્ટ્રના આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટી ના કારણે આગામી ચૂંટણીઓમાં ભાજપને જે પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે તે માનવામાં આવે છે. આ ફેરબદલ દ્વારા, પાર્ટી પાટીદાર અને ઓબીસી જાડાણને સંતુલિત કરવાનો પ્રયાસ કરશે.અમદાવાદ અને ગાંધીનગર દરેકને એક નવા મંત્રી મળી શકે છે. કચ્છ અને સૌરાષ્ટ્રને ચાર કેબિનેટ મંત્રીઓ અને ત્રણ રાજ્યમંત્રીઓ, મધ્ય ગુજરાતમાં બે કેબિનેટ મંત્રીઓ અને બે રાજ્યમંત્રીઓ અને દક્ષિણ ગુજરાતમાં ત્રણ કેબિનેટ મંત્રીઓ અને ચાર રાજ્યમંત્રીઓ મળી શકે છે. નવા મંત્રીમંડળમાં કુલ ૨૩ મંત્રીઓની નિમણૂક થઈ શકે છે. મુખ્યમંત્રી યુવાન અને અનુભવી મહિલા ધારાસભ્યોને પ્રાથમિકતા આપે તેવી શક્યતા છે. તમામ જાતિઓ અને પ્રદેશોનું સંતુલિત પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.ચાર લેઉવા પટેલ અને બે કડવા પટેલ સહિત કુલ છ પાટીદાર ઉમેદવારોને મંત્રી તરીકે નિયુક્ત કરી શકાય છે. અન્ય પછાત વર્ગના ચાર ઠાકોર-કોળી ધારાસભ્યોને મંત્રી તરીકે નિયુક્ત કરી શકાય છે. બે અનુસૂચિત જાતિ અને બે અનુસૂચિત જનજાતિ ઉમેદવારોને મંત્રીમંડળમાં સમાવી શકાય છે. બે બ્રાહ્મણો અને બે ક્ષત્રિયોનો પણ સમાવેશ થઈ શકે છે. વધુમાં, યુવાન અને અનુભવી મહિલા ધારાસભ્યોને મહત્વ આપીને વધુમાં વધુ ચાર મહિલા ધારાસભ્યો મંત્રી બની શકે છે.









































