ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકામાં મચ્છુન્દ્રી સિંચાઈ યોજના આવેલ છે. મચ્છુન્દ્રી સિંચાઈ યોજનાની આશરે ૮ કિલોમીટર નિચાણવાસમાં દ્રોણ ગામ પાસે દ્રોણેશ્વર વિયર બનાવવામાં આવેલ છે. આ વિયરનું આવક ક્ષેત્ર ૨૬૪.૧૮ ચોરસ કિલોમીટર છે. આ વિયરની લંબાઈ ૨૩૯ મીટર અને ઊંડાઈ ૧૨ મીટર જેટલી છે. આ વિયર મચ્છુન્દ્રી અને ઘોડાવાળી નદીના સંગમ સ્થાનથી આશરે ૩૦૦ મીટર નિચાણવાસમાં આવેલ છે. આ વિયર બન્યાને ૬૮ વર્ષ જેટલો સમય વીતી ગયેલ છે. આ વિયરની અંદર ગેટ ન હોવાથી ૧૨ મીટર પૈકી આશરે ૮ થી ૯ મીટર જેટલો કાંપ જમા થઈ ગયેલ છે. જેથી તેની પાણી સંગ્રહ કરવાની ક્ષમતામાં ૮૦% થી વધારે ઘટાડો થઈ ગયેલ છે. ચોમાસા દરમિયાન ભારે વરસાદનાં કારણે તાત્કાલિક ભરાઈ જતાં આ વિયર સિંચાઈ ડેમનું પાણી ત્રણ ચાર માસ સુધી સંગ્રહ રહે છે. ડેમ સાઈટ પર દ્રોણેશ્વરથી પિકઅપ વિયર કેનાલ મારફતે પાણી ખેડૂતો માટે છોડવામાં આવે છે જેનાં કારણે પાંચ માસ સુધી ભરેલું રહેતું હોવાથી પાણીની ક્ષમતા વધારવા આ ડેમને ૧૨ મીટર ઊંડો કરવામાં આવે તો બારે માસ પાણી ભરાયેલ રહે. ૨૫ જેટલાં નિચાણવાળા વિસ્તારો અને વન્ય વિસ્તારમાં રહેતાં નેશ અને વન્યજીવન અભયારણ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યા ક્યારેય પણ ઉભી થઇ શકે નહીં.