જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ ક્ષેત્રિય મુલાકાત દરમ્યાન દબાણ દૂર કરવાની સૂચના આપતા કરોડો રૂપિયાની સરકારી જમીન પરનું દબાણ દુર થયું હતું. ઉનાના વરસિંગપુર ગામે સ્વૈચ્છાએ લોકોએ ૭૪ લાખની જમીન પરનું દબાણ દૂર કર્યું હતું. તેમજ ગીરગઢડાના જૂના ઉગલા ગામે આશરે ૯ કરોડ ૫૦ લાખની ૨,૩૪,૯૭૦ ચો.મી. જમીન પરનું દબાણ ખુલ્લું કરવામાં આવ્યું હતું. જુના ઉગલા ગામે અત્યાર સુધીમાં કુલ ૮૦ દબાણદારો દ્વારા દબાણ કરવામાં આવેલી આશરે ૩૯૧૫૦૦ ચો.મી. જમીન જેની કિંમત આશરે રૂ. ૯ કરોડ ૫૦ લાખની જમીન ખુલ્લી કરાવવામાં આવી છે.