રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ દ્વારા વિનામૂલ્યે સુપર મેગા નેત્રયજ્ઞ આગામી ૧૩ માર્ચના રોજ ગીરગઢડાનાં ધોકડવા ગામે આવેલ આશુતોષ ફાર્મ હાઉસ તુલશીશ્યામ રોડ ઉપર રાખવામાં આવ્યો છે. ઉનાળાની સિઝનમાં આધુનિક કોલ્ડ (ઠંડા) મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવશે. આ વિનામૂલ્યે નેત્રયજ્ઞમાં આંખના રોગોનું નિદાન કરી જરૂરીયાતવાળા મોતિયાના દર્દીને રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલની બસમાં લઇ જઇ અત્યાધુનિક મશીન દ્વારા ટાંકા વગરનું સોફટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે. ઓપરેશન થયા બાદ દર્દીને કેમ્પના સ્થળે પરત મુકવાની વ્યવસ્થા પણ હોસ્પિટલ તરફથી કરવામાં આવશે. દરેક દર્દીએ આધાર કાર્ડ ફરજીયાત સાથે લાવવાનું રહેશે.