ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને એક વર્ષ થવા જઈ રહ્યું છે. હમાસને ખતમ કરવાનો ઇઝરાયેલનો નિર્ણય ગાઝા પટ્ટીના લોકો પર ભારે પડી રહ્યો છે. તે જ સમયે, હમાસ પણ તેની ગતિવિધિઓથી હટી રહ્યું નથી. આ બધાની વચ્ચે ઇઝરાયેલી સેનાએ દક્ષિણ ગાઝામાં હુમલામાં હમાસના ત્રણ ટોચના કમાન્ડરોને માર્યા હોવાનો દાવો કર્યો છે.
ગાઝાના સ્વાસ્થ્ય અધિકારીઓએ ઈઝરાયેલી સેનાના આ હુમલાની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે હુમલામાં ખાન યુનિસના મવાસી વિસ્તારમાં વિસ્થાપિત પેલેસ્ટાઈનીઓના ભીડવાળા તંબુ કેમ્પને નિશાન બનાવવામાં આવ્યું હતું. આ હુમલામાં ઓછામાં ઓછા ૧૯ લોકોના મોત થયા હતા, જ્યારે ઘણા લોકો કાટમાળમાં ફસાયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. આ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ફૂટેજમાં કેટલાય ટેન્ટમાં આગ લાગતી જાઈ શકાય છે. સાથે જ અનેક જગ્યાએ મોટા ખાડાઓ જાવા મળી રહ્યા છે.
ઈઝરાયેલની સેનાએ પણ પોતાના હુમલાને લઈને નિવેદન જાહેર કર્યું છે. આ નિવેદનમાં આઇડીએફે કહ્યું કે તેણે ગુપ્ત માહિતીના આધારે ખાન યુનિસ પર હુમલો કર્યો. અહીં, માનવતાવાદી ઝોનની અંદર સ્થિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની અંદર, હમાસના ટોચના કમાન્ડરો હતા જેમને નિશાન બનાવવામાં આવ્યા હતા.
ઇઝરાયેલી સૈન્યએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે હુમલામાં ગાઝા પટ્ટીમાં હમાસના એર યુનિટના વડા સમર ઇસ્માઇલ ખાદર અબુ ડક્કા, હમાસના લશ્કરી ગુપ્તચર મુખ્યાલયના નિરીક્ષણ વિભાગના વડા ઓસામા તાબેશ અને હમાસના વરિષ્ઠ આતંકવાદી અયમાન મબૌહ માર્યા ગયા હતા. . સેનાએ એમ પણ કહ્યું કે આ ત્રણ આતંકવાદીઓ ૭ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ દક્ષિણ ઇઝરાયેલ પર હમાસના હુમલામાં સીધા સામેલ હતા. આટલું જ નહીં. તેઓ તાજેતરમાં જ ઇઝરાયલી સંરક્ષણ દળો અને ઇઝરાયેલ વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓની યોજના બનાવી રહ્યા હતા.વધુમાં, ઇઝરાયેલી દળોએ મધ્ય ગાઝામાં બુરીજ શરણાર્થી શિબિરમાં અલ-ફારૂક મસ્જિદ પર બીજા હુમલો કર્યો. આ હુમલા અંગે આઇડીએફએ કહ્યું કે તેનો ઉદ્દેશ્ય મસ્જિદની અંદર સ્થિત હમાસના અન્ય કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને નષ્ટ કરવાનો હતો.
યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા ગાઝા યુદ્ધવિરામ પર નજર રાખવાની ઓફર કરી હતી. સાત વર્ષથી વધુના તેમના કાર્યકાળમાં, તેમણે ગાઝા સંઘર્ષને અત્યાર સુધીની સૌથી ખરાબ ઘટના ગણાવી હતી. ગાઝામાં મૃત્યુ અને વિનાશને રોકવાની પણ માંગ કરી હતી.તે વિચારવું અવાસ્તવિક છે કે યુનાઇટેડ નેશન્સ ગાઝા સંઘર્ષને રોકવામાં ભૂમિકા ભજવી શકે છે, ગુટેરેસે એક મુલાકાતમાં જણાવ્યું હતું, કારણ કે યુએનની ભૂમિકા ઇઝરાયેલ દ્વારા સ્વીકારવામાં આવે તેવી શક્યતા નથી. પરંતુ, ‘સંયુક્ત રાષ્ટ્ર કોઈપણ યુદ્ધવિરામને સમર્થન આપવા માટે ઉપલબ્ધ રહેશે.’ ૧૯૪૮ થી યુનાઇટેડ નેશન્સનું મધ્ય પૂર્વમાં લશ્કરી નિરીક્ષણ મિશન છે,
અગાઉ, તાજેતરમાં જ ઇઝરાયેલની યુદ્ધ કેબિનેટના ભૂતપૂર્વ સભ્ય બેની ગેન્ટ્ઝે ચેતવણી આપી હતી કે ઇઝરાયલે હિઝબુલ્લાહ અને લેબનીઝ સરહદ પર ધ્યાન આપવું જાઈએ. અહીં પહેલેથી જ મોડું થઈ ગયું છે. હકીકતમાં, ૨૦૧૧ માં સીરિયામાં ગૃહ યુદ્ધની શરૂઆતથી, ઇઝરાયેલ અને ઇરાન તરફી જૂથો દરરોજ એકબીજાને નિશાન બનાવી રહ્યા છે. તેના પર લેબનીઝ જૂથનું કહેવું છે કે તે ગાઝામાં ચાલી રહેલા યુદ્ધમાં તેના સહયોગી હમાસના સમર્થનમાં કામ કરી રહ્યું છે.