સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામે આંગણવાડી નંબર બેમાં રેખાબેન રમેશભાઈ જાશી છેલ્લા ૩૦ વર્ષથી ફરજ બજાવતા હતા. સેવા નિવૃત્ત થતાં વિદાય સમારોહ યોજાયો હતો. આ તકે ખડસલી ગામના સરપંચ શિલ્પાબેન માલાણી ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સાવરકુંડલા icdp માં ફરજ બજાવતા ગીતાબેન, સુમિત્રાબેન મકવાણા તેમજ વીજપડી વિસ્તારમાં આંગણવાડીની તમામ બહેનો ઉપસ્થિત રહી તેમનું શાલથી સ્વાગત કર્યુ હતું. તેમજ સન્માન પત્ર અને સ્મૃતિચિન્હ ભેટ આપી તેઓની કામગીરી બિરદાવી હતી.