અમરેલી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખડખડ મુકામે ઘઉંની જાત ય્ઉ-૪૬૩નું નિદર્શન યોજાયું હતું. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો દ્વારા મગફળીની ય્ત્નય્-૩૨ વેરાયટીના નિદર્શન માટે ખેતર મુલાકાત કરવામાં આવી હતી. ફિલ્ડ વિઝિટ અને નિદર્શન, વિતરણ કાર્યક્રમમાં ૨૫ જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો. નિદર્શન બાદ ખેડૂતોએ, મગફળીની ય્ત્નય્-૩૨ વેરાયટી, વધુ ઉત્પાદન, બિયારણ શુદ્ધતા અને રોગ પ્રતિકારતા સહિતની બાબતે પ્રશ્નોત્તરી કરી પ્રતિભાવો મેળવ્યા હતા.