ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી વિધાનસભાના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાની સતત રજૂઆતોના પગલે જિલ્લામાં પૂર સંરક્ષણ માટેના કુલ રૂ. ૧.૩૫ કરોડના કામોને મંજૂરી મળી છે.
નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા મંજૂર કરાયેલા આ કામોમાં અમરેલી તાલુકાના વડેરા ગામે રોકડિયા હનુમાન મંદિર પાસે રૂ. ૨૬.૪૨ લાખના અને દહિડા ખાતે રૂ. ૩૧.૧૫ લાખના ખર્ચે ફ્‌લડ પ્રોટેક્શન વોલનું નિર્માણ કરાશે. કુંકાવાવ તાલુકામાં નાની કુંકાવાવ ખાતે રૂ. ૪૫.૫૮ લાખ અને દેવગામ પાસે રૂ. ૩૧.૫૦ લાખના ખર્ચે ફ્‌લડ પ્રોટેક્શન વોલ બનાવવામાં આવશે. આ તમામ કામો ટૂંક સમયમાં શરૂ કરી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.