વડિયાના કોલડા ગામે રહેતા એક પતિ-પત્નીએ ઝેરી ટીકડા પી લીધા હતા જેને લઈ સારવારમાં ખસેડાયા હતા જ્યાં સારવારમાં મોત થયું હતું. બનાવ અંગે સુરેશભાઈ નાનજીભાઈ સોંદરવા (ઉ.વ.૪૪) એ જાહેર કર્યા મુજબ, તેના પિતા નાનજીભાઇ ભીખાભાઇ સોંદરવા (ઉ.વ.૭૫) તથા માતા જીવતીબેન નાનજીભાઇ ભીખાભાઇ સોંદરવાએ ટીકડા પી લેતા મોત થયુ હતું. પિતાને છેલ્લા દસ વર્ષથી માનસિક બીમારી હતી જેની દવા ચાલુ હોય તેમ છતા સારૂ થતું નહોતું. તેમજ માતાને બંને પગના ગોઠણમાં છેલ્લા છ માસથી દુઃખાવો હોય અને તેની દવા ચાલુ હોય તેમ છતાં સારૂ થતુ નહોતું. તેમજ તેમની બંને દિકરીઓ નાની ઉંમરે વિધવા થયેલ હોય તેમજ તેમને કોઇ કામ ધંધો ચાલતો નહોતો. જેથી આ બાબતે લાગી આવતા બંનેએ ઝેરી ટીકડાંઓ પી’ જતા સારવાર દરમિયાન મોત થયું હતું.