કોડીનાર શહેરમાં દુધાળા પશુઓમાં લંપી નામના રોગચાળા પછી
પશુઓમાં મળ મૂત્ર ત્યાગ કરવાની કુદરતી પ્રવૃત્તિ બંધ થઈ જવાના વિચિત્ર પ્રકારના રોગે પગપેસારો કર્યો છે. કોડીનાર શહેરના મામલતદાર ઓફિસ પાછળ વાડી વિસ્તારમાં આવેલ તબેલામાં પાલતુ ગાય અને ભેંસમાં ઝાડો પેશાબ બંધ થઈ જવાના વિચિત્ર રોગને કારણે કિંમતી પશુઓના મરણ પામવાના બનાવ બનતા તબેલાના માલિક માનસિંગભાઈ ગોવિંદભાઈ ડોડીયા મુસીબતમાં મુકાયા હતા. જોકે તેઓ પણ વર્ષોથી પશુપાલન સાથે જોડાયેલા હોય આ પ્રકારનો રોગ પ્રથમ વખત જોવા મળતા તેઓએ તાત્કાલિક કોડીનારના સરકારી પશુ દવાખાના અધિક્ષક ડો. મેહુલભાઈ રાઠોડને જાણ કરતા તેઓ પોતાની ટીમ સાથે તાત્કાલિક તબેલા ઉપર આવી સર્વે કરી તમામ પશુઓની તપાસ અને સારવાર હાથ ધરી હતી.