ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર શહેરની બે સેવાભાવી સસ્થા છેલ્લા ઘણા વર્ષોથી બિનવારસી લાશોના અંતિમ સંસ્કાર તેમજ વિનામૂલ્યે સમૂહલગ્ન પણ કરે છે. કોડીનારના જીન વિસ્તારના સરગમ ચોકે એક વૃદ્ધ છેલ્લા પાંચ વર્ષથી ભિક્ષા માંગીને રહેતા હતા. તેઓ ઓચિંતા બીમાર પડતા ૧૦૮ દ્વારા રમેશભાઈ બજાજ સરકારી દવાખાને લઈ ગયા હતા ત્યાં ટૂંકી સારવાર બાદ અંતિમ શ્વાસ લીધો હતો. તારીખ ૨૮/૧૨/૨૦૨૪ થી તારીખ ૧/૧/૨૦૨૫ એટલે કે પાંચ દિવસ સુધી કોડીનાર પોલીસ ટાઉન જમાદાર અરવિંદ જાની, પોલીસ કોન્સ્ટેબલ ભગવાન રાઠોડ, ભીખુ શાહે મહારાષ્ટ્ર સુધી તપાસ કરતા વાલી-વારસદાર ન મળતાં અંતે કોડીનારની સિંધી ગુરુનાનક મંડળ હરિૐ સેવા ટ્રસ્ટ રમેશ બજાજ જે.કે. મેરએ અંતિમ સંસ્કાર કર્યા હતા.