મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા. ફડણવીસે દાવો કર્યો હતો કે કોંગ્રેસ પાર્ટીમાં રાહુલ ગાંધીને હટાવવા માટે વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે કારણ કે તેઓ પાર્ટીને ચૂંટણી જીત તરફ દોરી શકતા નથી. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી ફક્ત પોતાના અસ્તિત્વ માટે લડી રહ્યા છે અને સતત પોતાના પક્ષના નેતૃત્વને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
રાહુલ ગાંધીએ એક કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પર આકરા પ્રહારો કર્યા. ગાંધીએ આરોપ લગાવ્યો કે આ સંગઠનોનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય બંધારણનો નાશ કરવાનો છે. તેમણે કહ્યું, “બંધારણ વિના, ભારત ન હોત. આજે, જે લોકો આરએસએસ-ભાજપ વિચારધારા ધરાવે છે તેઓ બંધારણનો નાશ કરવા માંગે છે. તેઓ ગમે તે કહે, તેમનો વાસ્તવિક ઉદ્દેશ્ય બંધારણનો નાશ કરવાનો છે કારણ કે તેઓ નથી ઇચ્છતા કે ભારતમાં દરેક સાથે સમાન વર્તન થાય.”
લોકસભામાં વિપક્ષના નેતાએ કહ્યું, “તેઓ (આરએસએસ-ભાજપ) ગમે તે કરે, તેઓ આંબેડકરની પ્રતિમા સમક્ષ માથું પણ નમાવે છે, પરંતુ તેમનો ઉદ્દેશ્ય બંધારણનો નાશ કરવાનો છે. અમારો ઉદ્દેશ્ય બંધારણનું રક્ષણ અને મજબૂતીકરણ કરવાનો છે.” વાદળી ટી-શર્ટ પહેરીને રાહુલ ગાંધીએ કહ્યું, “અમે ઇચ્છીએ છીએ કે બંધારણની ભાવના અને તેનો સંદેશ દેશના દરેક ખૂણા સુધી પહોંચે, અને તેથી જ અમે ‘રન ફોર આંબેડકર, રન ફોર ધ કોન્સીટટ્યુશન’નું આયોજન કર્યું છે.”
બાદમાં, એક ફેસબુક પોસ્ટમાં, રાહુલ ગાંધીએ કહ્યું કે તેમણે મંડી હાઉસથી કોંગ્રેસના અનુસૂચિત જાતિ એકમ દ્વારા આયોજિત મેરેથોનને લીલી ઝંડી આપી હતી. ગાંધીએ કહ્યું, “આ દોડ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના આદર્શો અને ભારતના બંધારણ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.” તેમણે ઉમેર્યું, “આજે, જ્યારે બંધારણીય મૂલ્યો પર હુમલો થઈ રહ્યો છે, ત્યારે આપણે એક થવું જાઈએ અને બાબા સાહેબે દર્શાવ્યા તે જ સંકલ્પ સાથે તમામ અન્યાય અને ભેદભાવ સામે લડવું જાઈએ. જય ભીમ, જય બંધારણ, જય હિંદ.”
આ પછી, સીએમ ફડણવીસે દાવો કર્યો, “કોંગ્રેસમાં રાહુલ ગાંધીને દૂર કરવા માટે વાતાવરણ વધી રહ્યું છે કારણ કે તેઓ પાર્ટી માટે ચૂંટણીમાં વિજય સુનિશ્ચિત કરવામાં અસમર્થ છે.” તેમણે કહ્યું કે ગાંધીએ તેમના પક્ષમાં ચાલી રહેલા સંઘર્ષ પરથી ધ્યાન હટાવવા માટે આવા નિવેદનો આપ્યા હતા.