દુલીપ ટ્રોફી ૨૦૨૫ ફાઇનલઃ રજત પાટીદારે આ વર્ષે પ્રથમ વખત આરસીબીને આઇપીએલ ચેમ્પિયનયન બનાવ્યું. આ રીતે, રજત પાટીદારની કેપ્ટનશીપમાં આરસીબીનો ૧૮ વર્ષનો ટાઇટલ દુકાળ સમાપ્ત થયો. હવે પાટીદારે તેમની કેપ્ટનશીપમાં વધુ એક મોટી સિદ્ધિ મેળવી છે. પાટીદારે કેપ્ટન તરીકે વધુ એક મોટું ટાઇટલ જીત્યું છે.વાસ્તવમાં, સેન્ટ્રલ ઝોને દુલીપ ટ્રોફી ૨૦૨૫નો ખિતાબ જીત્યો છે. સેન્ટ્રલ ઝોને રજત પાટીદારની કેપ્ટનશીપમાં આ ખિતાબ જીત્યો હતો. સેન્ટ્રલ ઝોને ફાઇનલમાં સાઉથ ઝોનને ૬ વિકેટથી હરાવીને ૭મી વખત દુલીપ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. અગાઉ, ટીમ ૧૯૭૧-૭૨, ૧૯૯૬-૯૭, ૨૦૦૪-૦૫ અને ૨૦૧૪-૧૫માં ચેમ્પિયનયન બની હતી. તે જ સમયે, ૧૯૯૭-૯૮માં, સેન્ટ્રલ ઝોને પશ્ચિમ ઝોન સાથે દુલીપ ટ્રોફીનો ખિતાબ શેર કર્યો હતો.કેપ્ટન રજત પાટીદાર અને યશ રાઠોડે સેન્ટ્રલ ઝોનને ચેમ્પિયનયન બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સાઉથ ઝોનના ૧૪૯ રનના જવાબમાં, સાઉથ ઝોને પ્રથમ ઇનિંગમાં ૫૦૦ થી વધુ રન બનાવ્યા. પાટીદારે પ્રથમ ઇનિંગમાં શાનદાર સદી ફટકારી. તેણે ૧૨ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી ૧૦૧ રન બનાવ્યા. આ ઉપરાંત, યશ રાઠોડે ૧૯૪ રનની શાનદાર ઇનિંગ રમી. તેણે પોતાની ઇનિંગમાં ૧૭ ચોગ્ગા અને ૨ છગ્ગા ફટકાર્યા. તે જ સમયે, સરાંશ જૈન (૬૯) અને દાનિશ માલેવર (૫૩) એ અડધી સદી ફટકારી. આ રીતે, સેન્ટ્રલ ઝોન પ્રથમ ઇનિંગમાં સ્કોરબોર્ડ પર ૫૧૧ રન બનાવવામાં સફળ રહ્યું.બીજા ઇનિંગમાં, સાઉથ ઝોને શાનદાર વાપસી કરી અને ૪૨૬ રન બનાવ્યા. આ રીતે, સેન્ટ્રલ ઝોનને જીતવા માટે ૬૫ રનનો લક્ષ્યાંક મળ્યો, જે તેણે ૨૧મી ઓવરમાં જ ૫મા દિવસે ૪ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો. ૧૯૪ રનની શાનદાર ઇનિંગ બદલ યશ રાઠોડને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો જ્યારે સરાંશ જૈન પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો.દુલીપ ટ્રોફીનો ખિતાબ જીત્યા બાદ, કેપ્ટન રજત પાટીદારે ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે દરેક કેપ્ટનને ટ્રોફી ગમે છે. ટીમમાં ઘણા ખેલાડીઓ  છે જેમણે ફક્ત ફાઇનલમાં જ નહીં પરંતુ છેલ્લી બે મેચમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું. પિચ બેટિંગ માટે યોગ્ય હતી, અમારા બોલરોએ પ્રભુત્વ મેળવ્યું. વિકેટ થોડી સૂકી હતી, તેથી અમે પહેલા બોલિંગ કરવાનું નક્કી કર્યું. અમારું લક્ષ્ય પ્રથમ ઇનિંગમાં શક્્ય તેટલી વહેલી તકે તેમને આઉટ કરવાનું હતું. અમને અપેક્ષા હતી કે ઝડપી બોલરોને મદદ મળશે, પરંતુ બોલરો કેવું પ્રદર્શન કરી રહ્યા છે તે જાવા માટે મારે સ્પિનરને ઓવર આપવી પડી. સ્પિનરરોને વધુ મદદ મળી.