(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૨૨
કેન્દ્ર સરકારે ઓફિસે મોડા આવનારા સરકારી કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરતા આદેશ જાહેર
કર્યો છે. મોડા ઓફિસે આવનારા કર્મચારીઓ પર કાર્યવાહી કરવા માટે, કેન્દ્રના કર્મચારી અને તાલીમ વિભાગે મહત્તમ ૧૫ મિનિટનો વિલંબ માફ કરવાનો નિર્ણય લીધો છે. દેશભરના કર્મચારીઓને સવારે ૯.૧૫ વાગ્યા સુધીમાં ઓફિસમાં આવીને તેમની હાજરી પૂરાવાનો નિર્દેશ આપ્યો છે. વરિષ્ઠ અધિકારીઓ સહિત તમામ કર્મચારીઓને બાયોમેટ્રિક હાજરી સિસ્ટમનો ઉપયોગ કરવા માટે કહેવામાં આવ્યું છે. જેનો ઉપયોગ કોરોના આવ્યા પછી છેલ્લા ચાર વર્ષથી ઉપયોગ કરવામાં નથી આવી રહ્યો.કર્મચારીઓને ચેતવણી આપવામાં આવી છે કે જા તેઓ સવારે ૯.૧૫ વાગ્યા સુધીમાં ઓફિસે નહીં આવે તો અડધા દિવસની કેઝ્યુઅલ લીવ કાપવામાં આવશે. કેન્દ્ર સરકારના પરિપત્રમાં જણાવાયું છે કે, ‘કોઈપણ કારણસર કર્મચારી કોઈ ચોક્કસ દિવસે ઓફિસમાં હાજર ન રહી શકે તો તેને અગાઉથી જાણ કરવી જાઈએ અને કેઝ્યુઅલ લીવ માટે અરજી કરવી જાઈએ.’
એવું પણ કહેવામાં આવ્યું છે કે, અધિકારીઓ તેમના વિભાગોમાં કર્મચારીઓની હાજરી અને સમયની પાબંદી પર નજર રાખશે. કેન્દ્ર સરકારની કચેરીઓ સવારે ૯ વાગ્યાથી સાંજના ૫.૩૦ વાગ્યા સુધી ખુલ્લી રહે છે, પરંતુ જુનિયર સ્તરના કર્મચારીઓ માટે મોડું આવવું અને વહેલું નીકળી જવું સામાન્ય બાબત છે. જેમાં જાહેર ક્ષેત્રની નોકરીઓમાં રોકાયેલા કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે, જેના કારણે લોકોને અસુવિધા થાય છે. જ્યારે વરિષ્ઠ અધિકારીઓ કહે છે કે તેમના માટે કોઈ નિશ્ચિત કામના કલાકો નથી, અમે પણ કામ ઘરે લઈ જઈએ છીએ.ા
વરિષ્ઠ અધિકારીઓની ફરિયાદ છે કે તેમની પાસે કોઈ ઓફિસનો નિશ્ચિત સમય નથી. તેમજ તેઓ સામાન્ય રીતે સાંજે ૭ વાગ્યા પછી જ ઓફિસથી નીકળી જતા હોય છે. આ ઉપરાંત તેઓ દલીલ કરે છે કે, કોવિડ પછીથી, તેઓ ઈલેક્ટ્રોનિક ફાઈલોની એક્સેસ સાથે રાખે છે અને ઘણીવાર રજાઓમાં અથવા વિકેડ પર પણ તેઓ ઘરેથી કામ કરતા હોય છે. ૨૦૨૪માં મોદી સરકારે સત્તામાં આવતા જ ઓફિસ કાર્યાલયમાં સમય પાબંદી લાગુ કરવાની માંગ કરી હતી.