કેનેડાની ટ‰ડો સરકારે ફરી એકવાર તેના ઈમિગ્રેશન નિયમો કડક કરવાની જાહેરાત કરી છે. કેનેડા સરકારે આગામી બે વર્ષ માટે ઇમિગ્રન્ટ્સ સંબંધિત નીતિમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ‰ડોએ જણાવ્યું હતું કે, “અમે આગામી બે વર્ષમાં કેનેડામાં આવતા ઇમિગ્રન્ટ્સની સંખ્યામાં ઘટાડો કરવા જઈ રહ્યા છીએ, આ એક અસ્થાયી નિર્ણય છે, જે આપણી વસ્તી વૃદ્ધિને રોકવા અને આપણી અર્થવ્યવસ્થાને ઉત્તેજીત કરવા માટે લેવામાં આવ્યો છે.”
કેનેડાના પીએમ જસ્ટિન ટ‰ડોએ કહ્યું કે કોરોના સમયગાળા દરમિયાન લાદવામાં આવેલા નિયંત્રણોને કારણે આપણી અર્થવ્યવસ્થામાં થયેલા નુકસાન અને ઘટાડામાંથી બહાર કાઢવામાં ઇમિગ્રન્ટ્સે મોટો ફાળો આપ્યો છે, પરંતુ હવે એડજસ્ટમેન્ટ કરવાનો સમય આવી ગયો છે. ટ‰ડોએ કહ્યું કે કેનેડાને તેની વસ્તી સ્થિર કરવાની જરૂર છે. “અમારી સિસ્ટમે તમામ કેનેડિયનો માટે યોગ્ય રીતે કામ કરવું પડશે,” તેમણે કહ્યું.
કેનેડાના ઇમિગ્રેશન મંત્રી માર્ક મિલરે ૨૦૨૫-૨૦૨૭ ઇમિગ્રેશન લેવલ પ્લાનની જાહેરાત કરી છે. આપણા દેશની આર્થિક સફળતા અને વિકાસ માટે ઇમિગ્રેશન પોલિસી જરૂરી છે. આપણા દેશની જરૂરિયાતો અનુસાર, આ યોજના વસ્તી વૃદ્ધિને રોકવામાં સફળ થશે, જેથી વિકાસના લક્ષ્યોને પ્રાપ્ત કરી શકાય.
કેનેડામાં નવી ઈમિગ્રેશન પોલિસી હેઠળ ૨૦૨૫માં માત્ર ૩,૯૫,૦૦૦ લોકોને જ પરમેનન્ટ રેસિડેન્સી આપવામાં આવશે. આગામી વર્ષોમાં તેમાં વધુ ઘટાડો જાવા મળશે. ૨૦૨૬માં માત્ર ૩,૮૦,૦૦૦ લોકોને અને પછી ૨૦૨૭માં ૩,૬૫,૦૦૦ લોકોને કાયમી નિવાસ આપવાની યોજના છે. આનાથી સ્પષ્ટ થાય છે કે કેનેડા હવે ઁઇ આપવા પર ઘટાડો કરી રહ્યું છે.
કેનેડાની રાષ્ટ્રીય આંકડાકીય એજન્સીએ જણાવ્યું હતું કે દેશની વસ્તી ૨૦૨૩ થી ૨૦૨૪ સુધીમાં ૩.૨ ટકા વધવાનો અંદાજ છે, જે ૧૯૫૭ પછીનો સૌથી મોટો વાર્ષિક વધારો છે. હવે અહીંની વસ્તી ૪૧ મિલિયન થઈ ગઈ છે. આ વસ્તી વધારામાં બહારથી આવતા વસાહતીઓએ ફાળો આપ્યો છે.
કેનેડા સરકારના આ પગલાથી ઇમિગ્રન્ટ્સ માટે દેશમાં નોકરી મેળવવી અને સ્થાયી થવું મુશ્કેલ બનશે. અગાઉ, વડા પ્રધાન ટ‰ડોએ કહ્યું હતું કે, “અમે કેનેડામાં કામચલાઉ વિદેશી કામદારોની સંખ્યા ઘટાડવા જઈ રહ્યા છીએ.” તેમણે કહ્યું હતું કે, “અમે કંપનીઓ માટે કડક નિયમો રજૂ કરી રહ્યા છીએ જેથી તેઓ સાબિત કરી શકે કે તેઓ શા માટે કેનેડિયન કામદારોને પ્રથમ સ્થાને રાખી શકતા નથી.”