કુંકાવાવ તાલુકાના લુણીધાર ગામે નવોદય એજ્યુકેશન શાળા દ્વારા વિદ્યાર્થીઓનું બહુમાન તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. નવોદય એજ્યુકેશન શાળા દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમના અધ્યક્ષ કુંવરજીભાઈ બાવળીયા, કેબિનેટ મંત્રી ગુજરાત સરકાર તેમજ મુખ્ય મહેમાન રાંદલના દડવાથી રાંદલ માતાજી મંદિરના મહંત હરેશ પ્રગટબાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નવોદય એજ્યુકેશન શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શાળાના બાળકો તેમજ તેમના વાલીઓ અને લુણીધાર ગામમાંથી બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.