સત્તામાંથી દસ વર્ષથી બહાર રહેલી કાંગ્રેસ હવે સત્તા માટે બહાવરી બની ગઈ છે. તે જે પંથે આગળ વધી રહી છે તે પંથ દેશના ભાગલા તરફ દોરી જશે. રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, ડી. કે. સુરેશ, સામ પિત્રોડાનાં નિવેદનો આ જ હકીકત તરફ સંકેત કરે છે.
અમેરિકાથી સામ પિત્રોડાએ તાજેતરમાં બે નિવેદનો આપીને ભારતના રાજકારણમાં ચૂંટણી સમયે જ ખળભળાટ મચાવી દીધો. તેમણે કહ્યું કે ભારતમાં પણ અમેરિકા જેવો વારસા વેરો લાગી શકે. અમેરિકામાં કોઈ વ્યક્તિ મરી જાય તો તેની સંપત્તિના ૫૫ ટકા સરકાર પાસે ચાલી જાય અને ૪૫ ટકા જ તેનાં સંતાનો પાસે રહે. આ વાત સમજાવવા વડાપ્રધાન મોદીએ ઉદાહરણ આપ્યું કે તમારી બે ભેંસ હોય તો એક ભેંસ કાંગ્રેસ જો સત્તામાં આવશે તો તે લઈ લેશે.
ગુજરાતમાં અણસમજુ લોકોએ આ બાબતે કહ્યું કે મોદી ચૂંટણીમાં ‘ભેંસ’ને લઈ આવ્યા. કદાચ, એસી ટીવી સ્ટુડિયોમાં બેસીને કામેન્ટ કરતા લોકોને ભેંસનું મહ¥વ એક ખેડૂત કે પશુપાલક માટે કેટલું છે તે ખબર નથી, પરંતુ મોદીનો સંદેશો ગુજરાતના જ નહીં, ભારતના પશુપાલકો અને બીજા લોકો સુધી પહોંચી ગયો છે. અર્થશાસ્ત્રી ગૌતમ સેને કહ્યું છે કે આવો વેરો જો નાખવામાં આવશે તો ભારતમાંથી ઉદ્યોગપતિઓ ઉચાળા ભરીને દુબઈ ચાલ્યા જશે. સ્વીડનમાં વિશ્વ ઇતિહાસમાં સૌથી વધુ વેરો હતો, ત્યાં પણ વારસા વેરો હતો પરંતુ ઉદ્યોગપતિઓ સ્વીડન બહાર જવા લાગ્યા એટલે સ્વીડને આ વેરો નાબૂદ કરવો પડ્યો.
ભારતમાં પણ આ વેરો એસ્ટેટ ટૅક્સના નામે હતો. વડાપ્રધાન મોદીએ આક્ષેપ કર્યો કે રાજીવ ગાંધીએ તેમની માતા અને પૂર્વ વડા પ્રધાન સ્વ. ઈન્દિરા ગાંધીની સંપત્તિ જે તેમણે તેમના પૌત્ર-પૌત્રીઓના નામે કરી હતી તે સરકાર પાસે ન ચાલી જાય તે માટે સત્તામાં આવતા વેંત પ્રથમ જ અંદાજપત્રમાં આ વેરો નાબૂદ કરી નાખ્યો. આ હકીકત તે વખતના છાપાંઓમાં યુપીઆઈ એજન્સીના સમાચારના નામે છપાઈ હતી. આવક વેરો, જીએસટી જેવા વેરા તો હોય જ તેવામાં વારસા વેરો આવે તો કઈ વ્યક્તિ સંપત્તિ ભેગી કરે? શું સંપત્તિ માત્ર ઉદ્યોગપતિઓ આગળ જ હોય છે? અને ઉદ્યોગપતિઓ તેમના ઉદ્યોગો થકી પોતાનું જ ઘર ભરે છે? આ ઉદ્યોગો થકી લાખો-કરોડો લોકોને આજીવિકા નથી મળતી? તેમના શૅરમાં મૂડીરોકાણ કરી અનેક મધ્યમવર્ગીય લોકોએ શું પોતાના ઘર નથી ખરીદ્યાં? પોતાના સંતાનોના લગ્નનો ખર્ચો નથી કાઢ્યો? સામ પિત્રોડાના આ નિવેદનની ચર્ચા હજુ શમે ત્યાં તો તેમણે બીજું નિવેદન ઠપકારી દીધું. તેમણે કહ્યું કે પૂર્વ ભારતના લોકો ચીની જેવા હોય છે, દક્ષિણ ભારતના લોકો આફ્રિકી લોકો જેવા હોય છે અને પશ્ચિમ ભારતના લોકો અરબી જેવા હોય છે. આ નિવેદન તો વંશવાદની ગંધથી ભરપૂર હતું. જે લેફ્ટ-લિબરલ લોકો અમેરિકાના વાદે ચડીને બાડી શેમિંગ, નેમ કાલિંગ, જેન્ડર ડિસ્ક્રિમિનેશન, રેસિઝમ આવા શબ્દોથી દૂર ભાગતા હતા તે સામ પિત્રોડાના મુદ્દે ચૂપ છે. બાડી શેમિંગ એટલે કોઈને તેના શરીરના આકાર (જાડા-પાતળા, ઠીંગણા-ઊંચા), નેમ કાલિંગ એટલે નામ-અટકના આધારે ચીડવવું, જેન્ડર ડિસ્ક્રિમિનેશન એટલે લિંગના આધારે સ્ત્રી-પુરુષ વચ્ચે ભેદભાવ કરવો. આ લોકોને સન્ની લિયોની ભૂતકાળમાં પાર્ન સ્ટાર હોય અને આજે અભિનેત્રી હોય તો ભૂપેન્દ્ર ચૌબે જેવા સીએનએન-આઈબીએન ચેનલના પત્રકાર ઇન્ટરવ્યૂમાં પાર્ન રાલ અંગે પૂછે તો તકલીફ પડે છે પરંતુ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીને હમણાં સુધી ઍક્ટર ટર્ન્ડ પાલિટિશિયન કહેવામાં વાંધો નહોતો.
સામ પિત્રોડાના આ નિવેદનને ભારતવાસીઓમાં ભાગલા પાડવાના આશયથી કરાયેલું નિવેદન સમજવામાં આવે છે. મોગલોએ જે નહોતું કર્યું તે અંગ્રેજોએ કરેલું. અંગ્રેજોએ ખોટો નવો ઇતિહાસ ઊભો કરી એમ કહેલું કે ભારત રાષ્ટ્ર હતું જ નહીં અને અહીંના લોકો તો બહારથી આવેલા છે. આર્ય થિયરી તેમણે ઊભી કરી અને દ્રવિડો મૂળ નિવાસીઓ છે તેમ કહ્યું જેથી અંગ્રેજોએ આક્રમણ કર્યું છે તેમ કોઈ કહી ન શકે. સામ પિત્રોડાનું આ બીજું નિવેદન પણ આવા ભાગલા પાડવા માટે જ છે જેથી સોનિયા ગાંધીના વિદેશી કુળ અને તેમના દીકરા રાહુલ ગાંધીના બ્રિટિશ નાગરિકત્વ વિશે કોઈ પ્રશ્ન ન ઉઠાવી શકે. સામ પિત્રોડા પાણી પહેલાં પાળ બાંધવા ગયા કેમ કે જે રીતે રાહુલ ગાંધી સામે કાર્ટ કેસ થયા અને મોદી સમાજ વિરુદ્ધની ટીપ્પણીમાં તેમનું સાંસદ પદ પણ ગયું તે જોતાં હવે મોદી ત્રીજી મુદ્દતમાં આવે તો કાર્ટમાં રાહુલ ગાંધીના બ્રિટિશ નાગરિકત્વના આધારે તેમનું (જો ચૂંટાય તો) સાંસદ પદ જઈ શકે. આ અંગે ભૂતકાળમાં યાચિકાઓ થઈ ચૂકી છે અને ન્યાયાલયે તેને ફગાવી દીધી છે. પરંતુ દર વખતે તેવું ન પણ બને.
એટલે સામ પિત્રોડાએ સારા શબ્દોમાં એમ કહ્યું કે ભારતના લોકોમાંથી કોઈ આફ્રિકામાંથી આવેલા છે તો કોઈ ચીનથી, કોઈ આરબ દેશોમાંથી. અહીં કોઈ મૂળ છે જ નહીં. અને દક્ષિણ ભારતના લોકો અશ્વેત હોય છે (બધા નથી હોતા) એટલે તેમને આફ્રિકી લોકો સાથે સરખાવી દેવા, પશ્ચિમ ભારતના લોકોને ભારતની પશ્ચિમે આવેલા મુસ્લિમ આરબ દેશોના લોકો સાથે સરખાવી તેમના હિન્દુ મૂળને જ પ્રશ્નમાં મૂકી દેવું અને પૂર્વના લોકોને ચીન સાથે જોડી દઈ ચીનના પૂર્વ ભારત પર રહેલા ડોળાને મજબૂતી આપવી શું આ ખતરનાક વાત નથી?
પણ સામ પિત્રોડા પહેલાં બે કાંગ્રેસ નેતા ભારતના ભાગલા માટે વાત કરી ચૂક્યા છે. લોકસભામાં મલ્લિકાર્જુન ખડગેએ એમ પણ કહ્યું હતું કે તમે લોકો- આર્ય બહારથી આવ્યા છો. અમે દ્રવિડ લોકો મૂળ વાસી છીએ. તો તાજેતરમાં કર્ણાટકના નેતા અને ઉપ મુખ્ય પ્રધાન ડી. કે. શિવકુમારના ભાઈ ડી. કે. સુરેશ, જે કર્ણાટકમાં પ્રધાન પણ છે, તેમણે દક્ષિણનાં રાજ્યો પોતાનો અલગ દેશ બનાવશે તેવી વાત કરી હતી. આમ, ઉત્તર અને દક્ષિણને અલગ પાડવાનો વિચાર તો કાંગ્રેસના ટોચના નેતાઓ મૂકી જ રહ્યા છે.
કાંગ્રેસના શીર્ષ નેતા રાહુલ ગાંધી પણ આમાં ઓછી ભૂમિકા નથી ભજવી રહ્યા. આજ-કાલ તેઓ ૧૯૯૦ના દાયકાનાં માયાવતી-કાંશીરામનું સ્મરણ કરાવી રહ્યા છે. ૧૯૯૦ના દાયકામાં માયાવતી-કાંશીરામે સૂત્ર આપ્યું હતું- તિલક, તરાજુ ઔર તલવાર, ઇન કો મારો જૂતે ચાર. અર્થાત્ બ્રાહ્મણ, વાણિયા અને ક્ષત્રિયોને ચાર જૂતાં મારો. માયાવતી-કાંશીરામની રાજનીતિ દલિતો અને મુસ્લિમો કેન્દ્રિત હતી. પરંતુ ૨૦૦૭ આવતાં-આવતાં માયાવતીને પણ સમજાઈ ગયું કે માત્ર દલિતો-મુસ્લિમોની રાજનીતિ કરવાથી સત્તા મળે તેમ નથી એટલે તેમણે સૂત્ર આપ્યું – હાથી નહીં યે ગણેશ હૈ, બ્રહ્મા-વિષ્ણુ-મહેશ હૈ. માયાવતીએ સતીશચંદ્ર મિશ્ર જેવા બ્રાહ્મણોને આગળ કરી પોતાની રાજનીતિ સંપૂર્ણ બદલી નાખી. રાહુલ ગાંધી ૧૯૯૦ના દાયકામાં થતી રાજનીતિ તરફ આગળ વધી રહ્યા છે.
આ જ કાંગ્રેસે ૧૯૭૦ના દાયકામાં વસતિ વધારો અટકાવવા ‘હમ દો હમારે દો’ સૂત્ર આપ્યું. ફિલ્મોમાં પણ આ વાતને અવારનવાર વણી લેવાઈ. આથી હિન્દુઓ બે સંતાનો કરવા લાગ્યાં. પરિણામે તેમની બચત થવા લાગી. ગરીબમાંથી નિમ્ન મધ્યમ વર્ગ અને નિમ્ન મધ્યમ વર્ગમાંથી ઉચ્ચ મધ્યમ વર્ગમાં આવવા લાગ્યા. એટલે તેમની સંપત્તિ એકઠી થવા લાગી. તેઓ વિદેશ પ્રવાસે જતા થયા. સારું ઘર-કાર લેતાં થયાં. મલ્ટિપ્લેક્સમાં ફિલ્મો જોતા થયા. સોનું-વાહનોની ખરીદી વધી. પરંતુ જે લોકોએ આ સૂત્ર ન અપનાવ્યું અને ઔલાદ તો અલ્લાહ કી દેન હૈ કહીને વસતિ વધારો કર્યેે રાખ્યો, ભણ્યાગણ્યા નહીં તેમની ગરીબી માટે મહેનત કરી કમાનાર અને પાઈ-પાઈ બચાવનાર હિન્દુ જવાબદાર છે? અને તેની આકરી મહેનતથી ઊભી કરાયેલી સંપત્તિમાંથી બેઠા-બેઠા ખાટલો ભાંગનારાને સંપત્તિ આપી દઈ તેમને ચિરકાળ સુધી ગરીબ જ રાખવાનું આ ષડયંત્ર નથી? શું આવી વાતો વર્ગવિગ્રહ તરફ ન દોરી જઈ શકે? મત માટે આટલા ટૂંકી દૃષ્ટિવાળા બનવાનું?
તેનાથી આગળ રાહુલ ગાંધી પત્રકારોને પણ પૂછે છે કે તમારામાં કેટલા ઓબીસી છે, કેટલા દલિત છે? શું પત્રકારમાં પણ અનામત કરાવશો? પત્રકારને લેતી વખતે તેની જાતિ નહીં, તેની આવડત જોવાતી હોય છે. ત્યાં પણ આવા ભાગલા પડાવવાનો વિચાર સારો નથી.
એ તો ઠીક, હવે રાહુલ ગાંધી નવો દાવ લાવ્યા છે. તેઓ કહે છે કે અમેરિકામાં શ્વેત લોકો પેપર કાઢે છે એટલે અશ્વેત લોકો પાસ નહોતા થતા. પરંતુ અશ્વેતોએ પેપર કાઢ્યું તો શ્વેત લોકો પાસ ન થયા. આવાં ગપગોળાં?! આનો ક્યાંય પુરાવો છે? ઉલટું, અમેરિકામાં તો શ્વેત લોકોને ડર છે કે ભવિષ્યમાં આપણી તકલીફ વધવાની કારણકે આ અશ્વેત, ઘઉંવર્ણા લોકો બધે જ બાજી મારી રહ્યા છે. રાહુલ ગાંધી ઉક્ત ઉદાહરણ આપીને કહે છે કે ભારતમાં પણ સવર્ણો પરીક્ષાનું પેપર એવું કાઢે છે કે દલિતો અનુત્તીર્ણ જ થાય. જો દલિતો પેપર કાઢે તો સવર્ણો પાસ ન થઈ શકે.
કેટલી હાસ્યાસ્પદ વાત! શું પેપર સેટ કરનાર માત્ર સવર્ણ જ હોય છે? અને શું એવી કોઈ વ્યવસ્થા છે જેમાં તે દલિતો માટે અલગ પેપર કાઢી શકે અને સવર્ણો માટે અલગ? અને પાછું પરીક્ષા હોલમાં પરીક્ષા દેવા એક પછી એક (એબીસીડીના ક્રમમાં અટકના આધારે) બેઠેલા મકવાણા અને મહેતા માટે અલગ-અલગ પેપર દેવાની વ્યવસ્થા હોય છે? એવા કોઈ અલગ-અલગ બંડલ હોય છે?
પરંતુ તેમના આ નિવેદન પર તાળીઓ પાડનારા લોકો પણ છે. અને એટલે જ આવી નિમ્ન કક્ષાની અને દેશ તોડનારી રાજનીતિ પર બ્રેક લાગવી જોઈએ. ચૂંટણી આવતી-જતી રહેશે, પરંતુ દેશ બચવો જોઈએ. ભવિષ્યમાં નિયમો ઘડો કે ચૂંટણીમાં આર્થિક, સામાજિક કેવા પ્રકારની વાતો થઈ શકે? કેવાં વચનો આપી શકાય? જેથી આ પ્રકારની નિમ્ન કક્ષાની દેશ તોડોની રાજનીતિથી દેશને બચાવી શકાય.