સાવરકુંડલાના કરજાળા ગામની યુવતીના લગ્ન સુરતના કોસાડ ગામે રહેતા યુવક સાથે થયા હતા. લગ્નના થોડા સમય બાદ કરિયાવર મુદ્દે કનડગત શરૂ કરી હતી. આ અંગે પુજાબેન જીજ્ઞેશભાઈ મૈસુરીયા (ઉ.વ.૨૭)એ તેના પતિ જીજ્ઞેશ રમેશભાઇ મૈસુરીયા, રમેશભાઇ કાથડભાઇ મૈસુરીયા, રંજનબેન રમેશભાઇ મૈસુરીયા, ભાવીકભાઇ રમેશભાઇ મૈસુરીયા તથા જલ્પાબેન રમેશભાઇ મૈસુરીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, લગ્ન બાદથી તેના પતિ તથા સાસુ-સસરા તથા જેઠે કરિયાવર બાબતે તેમજ કામકાજ બાબતે શારીરિક તથા માનસિક ત્રાસ આપી અવાર-નવાર મેણાટોણા મારતા હતા. તા.૨૮/૦૪/૨૦૨૪ ના રોજ તેમના ફઇ તથા કાકાની દીકરી મળવા માટે આવ્યા ત્યારે પતિએ તેમને તથા તેના ફઇને ગાળો આપી પીઠ પાછળ એક પાટુ મારીને અવાર-નવાર શારીરિક-માનસિક દુઃખત્રાસ આપ્યો હતો. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનનના એએસઆઈ વાય.એસ.વનરા વધુ તપાસ કરી રહ્યા છે.