કમોસમી વરસાદથી ખેતીપાકનાં સરવે સાથે સહાય કરવાની માંગકમોસમી વરસાદ અમરેલી જિલ્લાના સાવરકુંડલા, લીલીયા તાલુકામાં વરસતા ખેડૂતોની ખેતપેદાશોને થયેલા વ્યાપક નુકસાનને લઈને ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ
કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર પાઠવીને તાત્કાલિક સર્વે કરી ખેડૂતોને સહાય મળી રહે તે અંગે રજૂઆત કરી છે. જેમાં ૧૪ તારીખે પડેલા કમોસમી વરસાદથી ડુંગળી, તલ, બાજરો, મગ, કેરી અને ઘાસચારાના પાકને ભારે નુકસાન થયું છે. ત્યારે આ કમોસમી વરસાદના કહેરથી તારાજ થયેલ ખેતીપાકનો તાત્કાલિક સરવે કરીને ખેડૂતોને સરકાર સહાય કરે તેવી માંગ ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ પત્ર મારફતે કરી હતી.