ગુજરાતના કંડલામાંથી એક મોટી દુર્ઘટના સામે આવી છે. કંડાલા ખાતે આવેલી ઈમામી એગ્રોટેક કંપનીમાં મોટી દુર્ઘટના બની છે. કંપનીમાં વેસ્ટ પ્રવાહીની ટાંકીમાં પડી જવાથી ૫ લોકોના મોત થયા છે. દૂષિત પાણીમાં ઝેરી અસર થતા સુપરવાઈઝર સહિત ૫ લોકોના મોત થતા કંપનીના આસપાસના વિસ્તારોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
સેફટીના અભાવે ૫ માસૂમ લોકોએ જીવ ગુમાવ્યો હોવાની આશંકા છે. આ સમગ્ર ઘટનાની જાણ કંડલા પોલીસને થતા ફેકટરી ઇન્સ્પેકટર સહિતના લોકોની તપાસ શરૂ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ગુજરાતમાં ટાંકાની સાફ સફાઈ કરતા સમયે અથવા તો ગેસ ગળતરના કારણે કેટલાક શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે.
બીજી તરફ ૨ – ૩ દિવસ પહેલા જ મહેસાણા જિલ્લાના કડીના જાસલપુર ગામમાં એક કંપનીમાં દિવાલ બનાવતી વખતે ભેખડ ધસી પડતા ૯ લોકોના મોત થયા હતા. પોલીસે કોન્ટ્રાક્ટર, લેબર કોન્ટ્રાક્ટર, એન્જિનિયરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી.