અમરેલીની એચ.બી. સંઘવી મહિલા આટ્ર્સ તથા કોમર્સ કોલેજ ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે એક જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પસ મેનેજર રવિભાઈ વ્યાસ, સેક્રેટરી બાલકૃષ્ણભાઈ ત્રિવેદી અને કેમ્પસ ડાયરેક્ટર ડો. જીગ્નેશભાઈ વાજાએ ઝંડો ફરકાવીને રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. કોલેજથી શરૂ થયેલી આ રેલી શહેરના મુખ્ય રાજમાર્ગો પર સિંહ સંરક્ષણના સૂત્રોચ્ચાર સાથે ફરી હતી. રેલીમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીનીઓએ સિંહના માસ્ક પહેરીને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કોલેજના પ્રિન્સિપાલ ડો. રીટાબેન રાવળે વિદ્યાર્થીનીઓને સિંહનું અસ્તિત્વ બચાવવાની જરૂરિયાત અને તેનું મહત્વ સમજાવ્યું હતું.






































