કોંગ્રેસની આગેવાની હેઠળના ઇન્ડિયા એલાયન્સ દ્વારા સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ બી સુદર્શન રેડ્ડીને ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. રેડ્ડી માને છે કે આ ઉમેદવારી તેમની બંધારણ યાત્રાનો વિસ્તાર છે અને આ યાત્રા ચૂંટણી પરિણામો પછી પણ ચાલુ રહેશે, પછી ભલે તે જીતે કે હારે. તેમણે કહ્યું, ભારતના લોકશાહી માટે કોઈ ખતરો નથી, કાળા વાદળો છે, પરંતુ તે વિખેરાઈ જશે. તમે સંયુક્ત વિપક્ષ તરફથી તમારી ઉમેદવારીને કેવી રીતે લો છો? હું ભારતના બંધારણમાં માનું છું અને ૫૧-૫૨ વર્ષથી બંધારણ સાથે સંકળાયેલો છું. ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ઇન્ડિયા એલાયન્સના ઉમેદવાર તરીકે ઉભા રહેવું એ જ બંધારણીય પરંપરાનો એક ભાગ છે. આમાં કોઈ રાજકીય હસ્તક્ષેપ ન હોવો જાઈએ.શું સંસદમાં વિક્ષેપ ખલેલ પહોંચાડે છે?મારા મતે, ઉપરાષ્ટ્રપતિ, જે રાજ્યસભાના હોદ્દેદાર અધ્યક્ષ છે, બંધારણીય બેંચ પર બેસે છે. તેથી, આ પદ કોઈપણ રાજકારણથી પર હોવું જાઈએ. જ્યારે ચર્ચા થાય છે, ત્યારે વિપક્ષને મહત્તમ તક આપવી જાઈએ. કારણ કે શાસક પક્ષ જે કંઈ પણ કરવા માંગે છે, તે જનતા અને સભ્યો સાથે તેના વિશે વાત કરે છે. આના આધારે, સરકારે લાવવામાં આવેલા બિલોમાં પોતાનો મુદ્દો પહેલેથી જ કહી દીધો છે. આ પછી, મેદાન વિપક્ષનું હોવું જાઈએ જેથી તે પોતાનો મુદ્દો રજૂ કરી શકે. ભલે ગમે તે પક્ષ વિરોધમાં હોય. આ પરંપરા રહી છે. હવે, તેમાં અવરોધ છે. તેને યોગ્ય માર્ગ પર લાવવો જરૂરી છે.ઉપરાષ્ટ્રપતિના રાજીનામા પર તમે શું કહેશો? હું પરિસ્થિતિથી સંપૂર્ણપણે પરિચિત નથી, તેથી હું વર્તમાન પરિસ્થિતિ પર કોઈ ટિપ્પણી કરીશ   નહીં. જાકે, એ ચોક્કસ છે કે ઉપરાષ્ટ્રપતિ ઉપલા ગૃહના અધ્યક્ષ છે, જેની પરંપરા સર્વપલ્લી રાધાકૃષ્ણન, વી.વી. ગિરી, આર. વેંકટરામન, આર.કે. નારાયણનથી લઈને હામિદ અંસારી સુધી રહી છે. તે પરંપરાને આગળ ધપાવવી પડશે. તમારા સમર્થનનો અભાવ છે, શું અસર જાવા મળશે?હું નંબર ગેમમાં માનતો નથી. આ ઉપલા ગૃહની બંધારણીય બેંચ માટેની ચૂંટણી છે. રાજ્યસભા અને લોકસભાના સાંસદો કોઈપણ પક્ષના હોઈ શકે છે, પરંતુ આપણા અદ્ભુત બંધારણે આ માટે નિયમો નક્કી કર્યા છે કે આ પદ માટેની ચૂંટણીમાં મતદાન ગુપ્ત રહેશે અને કોઈ વ્હીપ જારી કરવામાં આવશે નહીં. આનો અર્થ શું છે? આનો અર્થ એ થયો કે આપણા બંધારણમાં એવી જાગવાઈ છે કે આ ચૂંટણી પક્ષોના રાજકારણથી પરે છે. મેં બધા સભ્યોને પત્ર લખ્યો છે. મેં તેમને મને ટેકો આપવા વિનંતી કરી છે.