ઉના તાલુકા કેળવણી મંડળ સંચાલિત શાહ એચ.ડી.હાઇસ્કૂલ – ઊના ખાતે વયનિવૃત્ત થઈ રહેલા જે.એન.પાઠક અને જે.જી.ભટ્ટનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં તાલુકા કેળવણી મંડળના જીતુભાઈ શેઠ, કે. ડી.દેસાઈ અને ટ્રસ્ટી ચંદુભાઈ છગ, રાધેભાઈ, રાકેશભાઈ તેમજ શાળાના આચાર્ય ડો.કે.જે.ગોસ્વામી તથા સમગ્ર સ્ટાફની હાજરીમાં આ વિદાય-સન્માન સમારોહ યોજાયો હતો. બંને નિવૃત્ત થતા શિક્ષકોને શાલ અને સન્માનપત્ર એનાયત કરી તેઓની સેવાને નવાજવામાં આવી હતી.