ઉનાના નાઠેજ અને સુલતાનપુર ગામની સીમમાં સાતથી આઠ સિંહોએ ધામા નાખતા આ વિસ્તારના સીમ વાડી વિસ્તાર તેમજ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. તેમજ રાત્રિના સમયે એક દીપડો રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો ભયભીત થઈ ગયા હતા. જે સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. હાલની અસહ્ય ગરમી, ઉકળાટમાં ખેડૂતના ખેતરમાં પાણી ભરેલ કુંડામાં સિંહોએ પાણી પી તરસ છિપાવી હતી. બાદમાં નજીક ખેતરમાં આરામ ફરમાવ્યો હતો. નાઠેજ-સુલતાનપુર રોડ પર સમી સાંજના સમયે દીપડો રોડ ઉપર દેખાતા ખેડૂતોમાં અને ત્યાંથી નીકળતા વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે હાલમાં અસહ્ય ગરમી છે ત્યારે વન્ય પ્રાણીઓ પણ ઠંડક શોધવા માટે સમી સાંજે અને રાત્રિના સમયે અલગ અલગ ગ્રામ્ય તેમજ સીમ વાડી વિસ્તારમાં નીકળી જતા હોય છે.