ઉના, તા.૧૪
સમુદ્ર કિનારા પરના પર્યાવરણીય અને પ્રાકૃતિક વાતાવરણને અસર કરતા પરિબળો જેવા કે દરિયામાંથી તેલ, ગેસ, રેતી ખનન અને કંપનીઓ દ્વારા હજારો ગેલન પ્રદૂષિત પાણી સમુદ્રમાં નાખતા હજારો માછી કામદારો બેરોજઞાર બની રહ્યા છે. તેમજ સમુદ્રની સુરક્ષા માટે બનેલ કાનુન સી.આર.ઝેડ. કાયદો તેમજ કોસ્ટલ રેગ્યુલેશનના કોઇ અમલ સંબંધીત કાર્યવાહી થતી નથી. સમુદ્ર સુરક્ષામાં રાજય અને કેન્દ્ર સરકારનું તંત્ર બેજવાબદાર રહેલ છે. તેની સામે દેશભરની કેટલીક સામાજીક સંસ્થાઓ એક સાથે મળીને ગુજરાત અને દેશ ભરના સમુદ્ર કિનારાના માછીમારોમાં જન
જાગૃતિના કાર્યક્રમો ચલાવી રહી છે.