ચૂંટણી પંચે આજે દિલ્હીમાં ચૂંટણીની તારીખની જાહેરાત કરવા માટે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ઈવીએમ અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે ચૂંટણી આવતા જ ઈવીએમ પર આક્ષેપો થવા લાગે છે, જ્યારે સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે ઈવીએમને હેક કરી શકાય નહીં.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે ઈવીએમને લઈને અફવાઓ ફેલાવવામાં આવી હતી. કોઈપણ આધાર વગર અનેક આક્ષેપો કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે ઈવીએમની બેટરીઓ બધાની સામે સીલ કરવામાં આવે છે. ઈવીએમ ચૂંટણીના ૭-૮ દિવસ પહેલા કાર્યરત થઈ જાય છે. છતાં ચૂંટણી આવતા જ આક્ષેપો થવા લાગે છે.
રાજીવ કુમારે કહ્યું કે પોલિંગ એજન્ટ જાણે છે કે કોને કેટલા વોટ મળ્યા. દરેકના પોલિંગ એજન્ટ મતદાન મથકની અંદર રહે છે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે ઈફસ્ હેક થઈ શકે નહીં. રાજીવ કુમારે કહ્યું કે ઈવીએમમાં ગેરકાયદેસર વોટ નાખી શકાય નહીં. વીવીપીએટી ટેલીમાં એક પણ મતની ગેરરીતિ જોવા મળી નથી. તેમણે કહ્યું કે ઈવીએમ સંપૂર્ણ રીતે ફૂલ પ્રૂફ છે. મતગણતરી પહેલા ઈવીએમનું સીલ ચેક કરવામાં આવે છે.