(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૨૦
ઈરાનના રાષ્ટપતિ ઈબ્રાહિમ રાયસીનું, ગઈકાલે થયેલ હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું છે. તેમની સાથે ઈરાનના વિદેશ મંત્રી આમિર અબ્દુલ્લાહિયા મૃત્યુ પામ્યા છે. હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થવાથી અન્ય ઘણા સાથીદારો-અધિકારીઓ પણ માર્યા ગયા છે. ઈરાનના રાષ્ટપતિ ઈબ્રાહિમ રાયસીના હેલિકોપ્ટરની દુર્ઘટનાએ આખા વિશ્વને ચોંકાવી દીધુ છે. વિશ્વના સૌથી શક્તશાળી દેશોમાંના એક ઈરાનના ટોચના નેતાના મૃત્યુએ આપણને એવા અકસ્માતોની યાદ અપાવી છે. જેમાં વિવિધ રાષ્ટના વડાઓ માર્યા ગયા હોય
ઈરાનના રાષ્ટપતિ ઈબ્રાહિમ રાયસી અને તેમના વિદેશ મંત્રી આમિર અબ્દુલ્લાહયાનનું અવસાન, ગઈકાલે થયેલા હેલિકોપ્ટર ક્રેશને કારણે થયું છે. ઈરાનના પૂર્વ અઝરબૈજાન પ્રાંતથી પરત ફરતી વખતે, ગઈકાલ રવિવારે હેલિકોપ્ટર દુર્ઘટનામાં બંને નેતાઓના મોત થયા હતા. આ અકસ્માતમાં, હેલિકોપ્ટરમાં સવાર હોય તેવા લોકોમાંથી કોઈ બચ્યું નથી.પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટપતિ અને સરમુખત્યાર જનરલ ઝિયા-ઉલ-હકનું પણ ૧૯૮૮માં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના બહાવલપુર પાસે તેમનું વિમાન ક્રેશ થયું હતું. તેમના અવસાનને લઈને અનેક પ્રકારની વાતો કરવામાં આવી રહી છે. ઝિયા-ઉલ-હકના વિમાનમાં ખામી આપોઆપ સર્જાઈ હતી કે કોઈ બળવા અને ષડયંત્રનો ભાગ હતી.પોલેન્ડના પૂર્વ રાષ્ટપતિ લેચ કાઝીન્સ્કીનું પણ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. ૨૦૧૦માં મોલેન્સ્ક નજીક વિમાન દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું હતું. તેમની સાથે પોલેન્ડ સરકારના અન્ય ઘણા અધિકારીઓ પણ માર્યા ગયા હતા.રેમન મેગ્સેસે ફિલિપાઈન્સના રાષ્ટપતિ હતા. માનુંગલ પર્વત પાસે સર્જાયેલ વિમાન દુર્ધટનામાં તેમનું અવસાન થયું હતું. ૧૯૫૭માં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મેગ્સેસે તેમની સામ્યવાદી વિરોધી નીતિઓ માટે જાણીતા હતા.વાન્ડાના ભૂતપૂર્વ પ્રમુખ જુવેનલ હબ્યારીમાનાનું ૧૯૯૪માં અકસ્માતમાં મૃત્યુ થયું હતું.
તેમની સાથે બુરુન્ડીના રાષ્ટપતિ સાયપ્રિયન તારિયામીરા પણ માર્યા ગયા હતા. એવું કહેવાય છે કે રવાંડામાં જ તેમના વિમાનને નિશાન બનાવીને ગોળી ચલાવવામાં આવી હતી. આ હુમલો ત્યારે થયો જ્યારે પ્લેન લેન્ડ થવાનું હતું. આ ઘટના બાદ રવાંડામાં મોટા પાયે નરસંહાર થયો હતો.
મોઝામ્બકના રાષ્ટપતિ સામોરા મિશેલનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. આ અકસ્માત ૧૯૮૬માં તેઓ દક્ષિણ આફ્રિકા જઈ રહ્યો હતા ત્યારે થયો હતો. આજ સુધી આ દુર્ઘટનાને લઈને વિવાદ છે અને અલગ-અલગ દાવા કરવામાં આવી રહ્યા છે.માલાવીના રાષ્ટપતિ બિન્ગુ વા મુથારીકાનું ૨૦૧૨માં અવસાન થયું હતું. ખરાબ હવામાનના કારણે તેમના વિમાનને અકસ્માતનો સામનો કરવો પડ્યો હતો. આમાં તેમને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવતાં હાર્ટ એટેકથી તેમનું મોત થયું હતું.
સીરિયાના રાષ્ટÙપતિ હાફિલ અલ-અસદનું ૨૦૦૦માં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. આ ઘટના રાજધાની દમાસ્કસ પાસે બની હતી. તેઓ પોતે પ્લેન ઉડાવી રહ્યા હતા અને આ દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો હોવાનું કહેવાય છે. જા કે, તેમના મૃત્યુમાં ષડયંત્રનો અેંગલ પણ જુએ છે.
ગેબોનના પ્રથમ રાષ્ટપતિ લિયોન બાનું પણ વિમાન દુર્ઘટનામાં જ મૃત્યુ થયું હતું. તેમનું પ્લેન ગેબોનના દરિયાકિનારે અકસ્માતનો ભોગ બન્યું હતું.માલદીવના બીજા રાષ્ટપતિ ઈબ્રાહિમ નાસિરનું ૨૦૦૮માં અવસાન થયું હતું. હેલિકોપ્ટર દુર્ઘટનામાં તેમનું મોત થયું હતું. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે તેઓ માલદીવના એક ટાપુ પર ખાનગી પ્રવાસ પર જઈ રહ્યા હતા, આ એવો ટાપુ છે, જ્યાં માનવ વસ્તી પ્રમાણમાં નહિવત છે.