(એચ.એસ.એલ),અમ્માન,તા.૨૫
જાર્ડન સત્તાવાળાઓએ ઇઝરાયેલ એમ્બેસી નજીક પોલીસ ટીમ પર ગોળીબાર કરવાના આરોપી વ્યક્તને મારી નાખ્યો છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. આપને જણાવી દઈએ કે, માર્યા ગયેલા આરોપીઓએ ઈઝરાયેલ એમ્બેસી પાસે ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં ત્રણ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા. ગોળીબારની આ ઘટના રવિવારે વહેલી સવારે જાર્ડનની રાજધાની અમ્માનના રાબિયા વિસ્તારમાં બની હતી. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. જાર્ડનના સુરક્ષા દળો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
જાર્ડનના પબ્લક સિક્યુરિટી ડિરેક્ટોરેટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ વિસ્તારમાં એક વ્યક્ત ગોળીબાર કરી રહ્યો હોવાની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ હુમલાખોરનો પીછો કર્યો હતો. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “હુમલાખોરનો પીછો કર્યા બાદ તેને થોડીક અંતરે ઘેરી લેવામાં આવ્યો, ત્યારબાદ તેણે સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો. સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી, જેમાં હુમલાખોરની ઓળખ થઈ શકી નથી. દૂતાવાસના અધિકારીઓ પર ગોળીબાર કરવા પાછળનું કોઈ કારણ હજુ સુધી સમજાયું નથી. તમને જણાવી દઈએ કે આ પહેલા ઈઝરાયેલ અને જાર્ડન વચ્ચે ૧૯૯૪માં શાંતિ સમજૂતી થઈ હતી, પરંતુ હમાસ સાથે યુદ્ધ અને લેબનોનમાં ઈઝરાયેલના હુમલા બાદ બંને દેશો વચ્ચે ઘણો તણાવ છે.