કેન્દ્રીય ભારતીય જનતા પાર્ટીની યોજના અનુસાર સમગ્ર દેશમાં સદસ્યતા અભિયાનનો ૨ સપ્ટેમ્બરથી દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ સદસ્ય બનાવી સદસ્યતા અભિયાનનું શુભારંભ કરી દીધેલ છે. જેના દ્વારા સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સદસ્ય બનાવવાની શરૂઆત થઇ ચૂકેલ છે. પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ કક્ષાએ આજે તા. ૩ સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલજી સદસ્ય બનાવી અભિયાનનો પ્રદેશમાં શુભારંભ કરશે.આવતીકાલ તા. ૦૪ સપ્ટેમ્બરના રોજ જિલ્લા કક્ષાએ આ અભિયાનનો પ્રારંભ થશે તો અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ જીલ્લાના પ્રભારી, અધ્યક્ષ, સાંસદ, ધારાસભ્યો, જિલ્લા ભાજપના પદાધિકારીઓ, મંડલના તમામ પદાધિકારીઓ, જિલ્લા તેમજ મંડલના સદસ્યતા અભિયાનના સંયોજકો, ચૂંટાયેલા પ્રતિનિધિઆ, આઈ.ટી. અને સોશિયલ મીડિયા ટીમની હાજરીમાં આ અભિયાનનો શુભારંભ થશે. અમરેલી જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આ અભિયાનને સફળ બનાવવા માટે જીલ્લા સ્તરની કાર્યશાળા ત્યારબાદ ૨૦ મંડલની અંદર મંડલ સ્તરની કાર્યશાળાઓ, સંયુક્ત મોરચાઓની કાર્યશાળા યોજાયેલ હતી. જેમાં અમરેલી જીલ્લા ભારતીય જનતા પાર્ટીના વિવિધ પદાધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓએ માર્ગદર્શન આપેલ અને જીલ્લાભરમાં પાંચ લાખ કરતા પણ વધારે પ્રાથમિક સદસ્યો બનાવવા માટે આહવાન કરેલ.
આ તકે ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા ,સાંસદ ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય મહેશભાઈ કસવાલા,જે.વી. કાકડિયા,જનકભાઈ તળાવીયા ,જીલ્લા ભાજપ મહામંત્રી ભુપેન્દ્રભાઈ બસીયા, પીઠાભાઈ નકુમ, મેહુલભાઈ ધોરાજીયા,અભિયાનના સહ સંયોજક શરદભાઈ પંડયા, ભાવનાબેન ગોંડલીયા, અતુલભાઈ કાનાણી, મયુરભાઈ માંજરીયા, મનોજભાઈ મહીડા, અશ્વિનભાઈ સાવલિયા, રાજુભાઈ ભૂતૈયા, મૌલિકભાઈ ઉપાધ્યાય, જલ્પેશભાઇ મોવલીયા, ભરતભાઈ પાડા, રવુભાઇ ખુમાણ, વગેરેએ વિવિધ કાર્યશાળાઓમાં માર્ગદર્શન આપેલ હતુ. જિલ્લાના અમરેલી,બાબરા, બગસરા, રાજુલા, જાફરાબાદ, બાબરા, દામનગર,જાફરાબાદ, સાવરકુંડલા સહિતના તાલુકાઓમાં જિલ્લા ભાજપની કાર્યશાળા સંપન્ન થઈ હતી.