ગુજરાત સરકાર દ્વારા હાલ રાજ્યમાં નબળા અને વંચિત જુથના બાળકોને જે તે વિસ્તારની બિન અનુદાનિત ખાનગી શાળામાં ધોરણ ૧ માં કુલ વિદ્યાર્થીઓની સંખ્યાના રપ ટકા આરટીઈ એકટ અન્વયે પ્રવેશ અપાવી સરકાર શાળાની ફી તેમજ અન્ય ખર્ચ વગેરે ભોગવી બાળકોને પ્રાથમિક શિક્ષણ અપાવી રહી છે. છતાં ગુજરાત રાજયમાં ગ્રામ્ય અને શહેરી કક્ષાએ નબળા અને વંચિત જુથના બાળકો આરટીઈ યોજનામાં પ્રવેશ મેળવવા પાત્ર હોય છતાં રાજયમાં અંદાજે ૯૦ ટકા જેટલા ગામોમાં ખાનગી શાળા ન હોવાથી એક કિ.મી. ઉપર બાળકોને પરિવહન કરવુ શકય નથી અને બાળકોના પરિવારને પરિવહન ખર્ચ પરવડે તેમ નથી. આમ નગરો અને મહાનગરોમાં પ્રવેશ મેળવવા પાત્ર બાળકોની સંખ્યા ખાનગી શાળામાં યોજના માટે અપેક્ષિત રખાતી બેઠકો કરતા વધારે હોય અને અન્ય કારણોસર આરટીઈ યોજનાથી અનેક બાળકો વંચિત રહી જાય છે. તો આ મુદ્દે સરકાર સમીક્ષા કરી અને આ વિસંગતતા દૂર કરે તેવી રજૂઆત રાજયના મુખ્યમંત્રી સમક્ષ સાવરકુંડલા તાલુકાના પીયાવા ગામના ચિરાગ વિનુભાઈ હીરપરા નામના યુવાન દ્વારા કરવામાં આવી છે.