દિલ્હીમાં ૨૦૨૫ની વિધાનસભા ચૂંટણી માટે મતદાન માટે હવે ૧૦ દિવસથી પણ ઓછા સમય બાકી છે. તમને જણાવી દઈએ કે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ૭૦ વિધાનસભા બેઠકો માટે ૫ ફેબ્રુઆરીએ મતદાન થશે. ચૂંટણીના પરિણામો ૮ ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે. મતદાનની તારીખ નજીક આવતાં, દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સોમવારે ચૂંટણી માટે પાર્ટીનો ઢંઢેરો બહાર પાડ્યો. ચાલો જાણીએ કે આમ આદમી પાર્ટીએ તેના મેનિફેસ્ટોમાં કઈ જાહેરાતો કરી છે.
આજે કેજરીવાલની ૧૫ ગેરંટી જાહેર કરી રહ્યા છે તેમાં રોજગાર ગેરંટી- યુવાનોને રોજગાર કેવી રીતે મળી શકે તેનું આયોજન કરવામાં આવશે,મહિલા સન્માન યોજના હેઠળ, દરેક મહિલાને તેમના બેંક ખાતામાં ૨૧૦૦ રૂપિયા મળશે,સંજીવની યોજના – ૬૦ વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને મફત સારવાર મળશે.,પાણીના બીલ માફ કરવામાં આવ્યા છે, મોકલેલા બીલ ચૂકવવાની કોઈ જરૂર નથી.,દરેક ઘરમાં ૨૪ કલાક સ્વચ્છ પાણી.,યમુનાની સફાઈ- કેજરીવાલે કહ્યું કે અમારી પાસે ભંડોળ અને સંપૂર્ણ યોજના છે.,દિલ્હીના રસ્તાઓને યુરોપિયન સ્તરના બનાવવાનું વચન.,ડા. આંબેડકર શિષ્યવૃત્તિ યોજના – વિદેશી યુનિવર્સિટીઓમાં દલિત બાળકોના પ્રવેશ માટેનો તમામ ખર્ચ દિલ્હી સરકાર ઉઠાવશે.,કોલેજના વિદ્યાર્થીઓને દિલ્હી મેટ્રોમાં મફત બસ સુવિધા અને ૫૦ ટકા ડિસ્કાઉન્ટ મળશે.,પૂજારીઓ અને ગ્રંથીઓને દર મહિને ૧૮,૦૦૦ રૂપિયા મળશે.,ભાડૂતોને મફત વીજળી અને પાણીની સુવિધા પણ મળશે.,જ્યાં પણ ગટર બ્લોક થશે, ત્યાં ૧૫ દિવસમાં તેને સાફ કરવામાં આવશે અને દોઢ વર્ષમાં જૂની ગટર બદલી દેવામાં આવશે.,દિલ્હીમાં નવા રેશનકાર્ડ બનાવવામાં આવશે.,ઓટો-ટેક્સી-ઈ-રિક્ષા ચાલકોને તેમની પુત્રીના લગ્ન માટે ૧ લાખ રૂપિયા, તેમના બાળકો માટે મફત કોચિંગ અને વીમાનો લાભ મળશે.
અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે દિલ્હી સરકાર દ્વારા પહેલાથી જ આપવામાં આવતી મફત વીજળી, મફત પાણી, વૃદ્ધો માટે મફત યાત્રા, મહિલાઓ માટે મફત બસ મુસાફરી ચાલુ રહેશે અને મોહલ્લા કલીનિકનો વિસ્તાર કરવામાં આવશે. કેજરીવાલે કહ્યું કે જો લોકો ચૂંટણીમાં મતદાન દરમિયાન ખોટું વોટ બટન દબાવે છે, તો તેમના પર ૨૫ હજાર રૂપિયા સુધીનો વધારાનો બોજ લાદવામાં આવશે.
અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે ભાજપના લોકોએ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ મફત વીજળી, મફત પાણી, મફત શિક્ષણ અને મફત સારવાર બંધ કરશે. કેજરીવાલે લોકોને કહ્યું કે જો તમે ભાજપને મત આપો છો, તો આપ સરકારને કારણે તમને મળતો ૨૫,૦૦૦ રૂપિયાનો ફાયદો બંધ થઈ જશે.