(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૪
આબોહવા પરિવર્તનના કારણે ઊંચા તાપમાનના સંપર્કમાં આવવાથી બાળકો સમય પહેલા જન્મવાનું જાખમ ૬૦ ટકા વધી ગયું છે. ફ્લંડર્સ યુનિવર્સિટી સાથે સંકળાયેલા સંશોધકો દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં સામે આવ્યું છે કે ભારતમાં દર કલાકે સરેરાશ ૩૪૫ નવજાત શિશુ સમય પહેલા જન્મી રહ્યા છે, જે તેમના સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો સાબિત થઈ રહ્યું છે.રિપોર્ટ અનુસાર, ૨૦૨૦માં ભારતમાં ૩૦ લાખથી વધુ બાળકોનો સમય પહેલા જન્મ થયો હતો. દેશમાં અકાળ જન્મનો દર ૧૩ ટકા નોંધાયો છે. એટલે કે દર ૧૩મું બાળક સમય પહેલા જન્મે છે. આશ્ચર્યની વાત એ છે કે વિશ્વમાં દરેક પાંચમું પ્રિમેચ્યોર બાળક ભારતીય છે. ૨૦૨૦ દરમિયાન વૈશ્વક સ્તરે જન્મેલા ૨૨ ટકાથી વધુ પ્રિમેચ્યોર બાળકો ભારતીય હતા.સંશોધકોના મતે, આના કારણે, પહેલા કરતા વધુ માતાઓએ તેમના નવજાત શિશુઓ સાથે ડોકટરો અને હોસ્પિટલની મુલાકાત લેવી પડી રહી છે. સમગ્ર વિશ્વમાં બાળકો આનો સામનો કરી રહ્યા છે. વૈશ્વક સ્તરે દર બે સેકન્ડે એક નવજાત સમય પહેલા જન્મે છે. તેવી જ રીતે, દર ૪૦ સેકન્ડે આમાંથી એક બાળક મૃત્યુ પામે છે.
સાયન્સ ઓફ ધ ટોટલ એન્વાયર્નમેન્ટ જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, સમય પહેલા જન્મ લેવાના ભવિષ્યમાં ખતરનાક પરિણામો આવી શકે છે અને બાળકોને પુખ્તવય સુધી પહોંચે ત્યાં સુધી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી મુશ્કેલ પરિસ્થતિઓમાંથી પસાર થવું પડી શકે છે. ગર્ભાવસ્થાના ૩૭ અઠવાડિયા પહેલા ગર્ભનો જન્મ થાય ત્યારે અકાળ જન્મ કહેવાય છે. જા ગર્ભાવસ્થાના ૪૦ અઠવાડિયા પછી બાળકનો જન્મ થાય છે, તો તે જન્મ સામાન્ય માનવામાં આવે છે. સંશોધકોએ ભારપૂર્વક જણાવ્યું છે કે બાળકોના ભવિષ્યને આબોહવા સંબંધિત રોગોથી બચાવવા માટે તાત્કાલિક પગલાંની જરૂર છે.