(એ.આર.એલ),અમદાવાદ,તા.૭
ગણેશ ચતુર્થીની સમગ્ર દેશમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી છે. ત્યારે વડાપ્રધાન, રાષ્ટ્રપતિ તેમજ અનેક રાજકીય નેતાઓએ દેશવાસીઓને ગણેશ ચતુર્થીની શુભકામનાં પાઠવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને દેશવાસીઓને ગણેશ મહોત્સવની શુભેચ્છા પાઠવી હતી. તેમજ જણાવ્યું હતું કે, આપણો દેશ, સમાજ અને દરેક વ્યકતીનુ જીવન નિર્વિધ્ન રહે. તેમજ ઉત્સવ સમાજની શકતી હોય, ઉત્સવ સમાજ અને વ્યકતીનાં જીવનમાં નવો પ્રાણ ભરે છે. સાર્વજનિક ગણેશ ઉત્સવની પરંપરા લોકમાન્ય તિલકની દેન છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ ટ્વીટ કરી દેશવાસીઓને ગણેશોત્સવ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.
ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ લોકોને સોશિયલ મીડિયા મારફતે ગણેશ ચતુર્થીની શુભેચ્છાઓ પાઠવી.ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ દેશવાસીઓને ગણેશ ચતુર્થીની શુભેચ્છાઓ પાઠવી હતી.